જમીયત ઉલેમા-એ-હિંદના વડા મહમૂદ મદનીએ આપ્યું નિવેદન, કહ્યું ઈસલામ સૌથી જૂનો ધર્મ છે


  • Published By :
  • Published Date : 2023-02-11 16:42:29

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજીત કાર્યક્રમમાં જમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મહમૂદ મદનીએ કહ્યું કે ભાજપ અને આરએસએસથી અમારી કોઈ ધાર્મિક મતભેદ નથી, પરંતુ વૈચારિક મતભેદ છે. તેમણે કહ્યું કે ભારત જેટલું મોદી અને ભાગવતનું છે તેટલું જ મદનીનું પણ છે. આ નિવેદન તેમણે જમીયત ઉલેમા-એ-હિંદના 34માં અધિવેશનમાં આપ્યું હતું. ઉપરાંત તેમણે કહ્યું કે સમાન નાગરિક સંહિતા માત્ર મુસ્લિમોનો મુદ્દો નથી, પરંતુ તે વિવિધ સામાજીક જૂથો, સમુદાયો અને દેશના તમામ વર્ગો સાથે સંબંધિત છે.


આપણો દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે - મદની  

શનિવારના રોજ આયોજીત જમીયત ઉલેમા-એ-હિંદના 34માં અધિવેશનમાં મહમૂદ મદનીએ નિવેદન આપ્યું હતું કે મારી નજરમાં હિંદુ અને મુસલમાન બરાબર છે. તેમણે કહ્યું કે આપણો દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પરંતુ આપણા બહુમતીવાદને અવગણીને જે પણ કાયદાઓ પસાર થશે તેની સીધી અસર દેશની એકતા, વિવિધતા અને અખંડિતતા પર પડશે. 


આ ભૂમિ મુસલમાનોની પહેલી માતૃભૂમિ છે - મહેમૂદ

પોતાના સંબોધનમાં તેમણેએ પણ કહ્યું કે આ ભૂમિ મુસલમાનોની પહેલી માતૃભૂમિ છે. એવું કહેવું કે ઈસ્લામ ધર્મ બહારથી આવ્યો છે તે કહેવું ખોટુ છે અને નિરાધાર છે. ઈસ્લામ ધર્મ બધા ધર્મો કરતા સૌથી જૂનો ધર્મ છે. ભારત સૌથી સારો દેશ છે પરંતુ અહિંયા મુસ્લિમ વિરુદ્ધ નફરતના કિસ્સા સતત વધી રહ્યા છે. હાલના દિવસોમાં ઈસ્લામફોબિયા સતત વધી રહ્યો છે.      


ભારત જેટલું મોદી અને ભાગવતનું છે તેટલું મદનીનું પણ છે  - મહમૂદ       

સમાન નાગરિક મુદ્દાને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોર્ડ માત્ર મુસ્લમાનોનો મુદ્દો નથી, પરંતુ દેશના અલગ અલગ સામાજીક સમૂહો, સમૂદાય, જાતિયો અને બધા વર્ણોથી સંબંધિત છે. તેમણેએ પણ કહ્યું કે અમે આરએસએસના સંચાલકને આમંત્રણ આપી છીએ કે આપસી મતભેદ અને દૂશ્મની ભૂલાવી એક બીજાને ગળે લગાવીએ અને દેશને દુનિયાનું સૌથી શક્તિશાળી દેશ બનાવીએ. અમને સનાતન ધર્મથી કોઈ ફરિયાદ નથી તો તમારે પણ ઈસ્લામ ધર્મથી કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. ભાજપ અને આરએસએસથી અમારા કોઈ ધાર્મિક મતભેદ નથી પરંતુ વૈચારિક મતભેદ છે. ભારત જેટલું મોદી અને ભાગવતનું છે એટલું જ મદનીનું પણ છે.     




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!