Jamawat Weather Analysis : ગુજરાતીઓને વરસાદ માટે આ તારીખ સુધી જોવી પડશે રાહ, જાણો વરસાદને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-02 17:01:43

જગતનો તાત કોઈ વખત વધારે વરસાદ પડવાને કારણે ચિંતિત હોય છે તો કોઈ વખત વરસાદ ન થવાને કારણે ચિંતિત હોય છે. જો વધારે વરસાદ થાય છે તો પણ અને જો વરસાદ નથી થતો તો પણ નુકસાન તો ખેડૂતોને જ ભોગવવાનો વારો આવે છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં તો મેઘરાજા જાણે રિસાઈ ગયા હોય તેવું લાગતું હતું. ઓગસ્ટ મહિનો કોરો ગયો હતો ત્યારે અડધો સપ્ટેમ્બર મહિનો પણ કોરો જાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. 7 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના નહીંવત દર્શાવવામાં આવી છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોને પાકનું ટેન્શન થઈ રહ્યું છે. પાક નિષ્ફળ જશે તેવો ડર જગતના તાતને સતાવી રહ્યો છે.

 

ઓગસ્ટ સાબિત થયો હતો કોરો મહિનો  

ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત છે. પરંતુ ખેતી સંપૂર્ણ રીતે વરસાદ પર નિર્ભર કરે છે. પરંતુ આ વખતે ચોમાસાએ પોતાની સિસ્ટમ બદલી હોય તેવું લાગે છે. જુલાઈ દરમિયાન એટલો મૂશળાધાર વરસાદ થયો હતો પરંતુ તે બાદ ઓગસ્ટ મહિનો આખો કોરો સાબિત થયો. સપ્ટેમ્બરમાં પણ ચોમાસાની આવી જ સ્થિતિ રહેશે તેવું અનુમાન તેવી આગાહી કરવામાં આવી છે. 7 સપ્ટેમ્બર સુધી એવી કોઈ સિસ્ટમ નથી બની રહી જેને કારણે વરસાદ આવી શકે છે. 7 તારીખ બાદ ગુજરાતના થોડા વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. ઓગસ્ટમાં 90 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. 


7 સપ્ટેમ્બર બાદ અહીંયા વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે જે મુજબ આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે તેવી સંભાવના નહીંવત છે. આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં વરસાદ ન વરસે તેવી આગાહી કરી છે. 7 સપ્ટેમ્બર બાદ સાઉથ ગુજરાતના અનેક ભગોમાં હળવા વરસાદને લઈ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, ડાંગ, દમણના અમુક ભાગોમાં વરસાદ વરસી શકે છે. કોઈ પણ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે હાલ વરસાદની સંભાવના નથી. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!