જમાવટે મોરબીની વેદના કહી, એક નાગરીકે કમેન્ટમાં કવિતા લખીને પીડા વર્ણવી


  • Published By :
  • Published Date : 2022-11-01 15:33:01

મોરબીમાં દુર્ઘટના બની તે બાદ સમગ્ર ગુજરાત ગમગીન થઈ ગયું છે. આ ઘટના બાદ તમામ લોકો શોકમાં ડૂબી ગયા છે. જે લોકોએ પોતાના પરિવારના સભ્યને ગુમાવ્યા છે તે લોકો તો પોતાની વેદનાને વર્ણવી પણ નથી શક્તા. જ્યારે જમાવટે મોરબીની પ્રજાની વેદના કહી ત્યારે એક વ્યક્તિએ કમેન્ટમાં એક કવિતા પોસ્ટ કરી હતી. આ કવિતા એવી ઘટના પર લખવામાં આવી છે જેને જોઈ લોકો ખૂબ દુખી થયા છે. આ કવિતા લખાઈ છે વડાપ્રધાનના મોરબી પ્રવાસ પર તેમની મુલાકાત પહેલા કવિએ પોતાની વેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં આવેલી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે. તેમની મુલાકાતને પગલે સિવિલ હોસ્પિટલને રાતોરાત રંગીન કરી દેવામાં આવી છે. 

આ છે કવિતા-

રંગ રોગાન થાય છે, લાલ જાજમ પથરાય છે,

ને આમ જ મોરબીના પ્રજાની મશ્કરી થાય છે.

માતમમાં છે મારું પુરું મોજીલું મોરબી શહેર,

રાતો રાત એક હોસ્પિટલ દુલહન બની જાય છે.

જોવો ખેલ તમે મોત પર કેવા કેવા તાયફા થાય, 

ત્રણ દેહ એક પથારૂ પડ્યા, નવા બેડ લવાય છે.

વંચિત રહ્યું છે પ્રાથમિક સુવિધાથી મારૂ મોરબી,

પહેરી શ્વેત વસ્ત્રો ગીધો શાકાહારી બની જાય છે.

રહ્યું અસફળ તંત્ર, પ્રધાન આવતા જાગતું થયું,

બાકીના દિવસોમાં એ કુંભકર્ણ બનું સૂઈ જાય છે.

બસ કરો તમારો આ તમાશો, મૃતકોને ખલેલ પડે, 

મનોજ માનવતા ખેતરને નરાધમો ચરી જાય છે.


આ કવિતાએ તમામ મોરબી વાસીઓની વેદનાને વર્ણવી દીધી છે. વડાપ્રધાનના આગમન પહેલા સિવિલ હોસ્પિટલને ચકચકાટ કરી દેવામાં આવી છે. સરકાર જાણે મોતનો તમાશો કરતી હોય તેવું લાગે છે. મોરબીની પ્રજાની આમ જ મશ્કરી થાય છે. કુંભકર્ણ બની નિંદ્રામાં ઉંઘેલુ તંત્ર પ્રધાન એટલે કે વડાપ્રધાન આવતા અચાનક જાગી જાય છે. અને તેમના ગયા પછી તંત્ર ફરી એક વખત ગહેરી નિંદ્રામાં ઉંઘી જાય છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા આવા તાયફાથી મૃતદેહને પરેશાની પહોંચશે.          




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.