Jamawatની ટીમે કર્યો Kutch Loksabha Seatના Vinod chavda અને Nitesh Lalanને ફોન, જાણો શું છે તેમનું વિઝન?


  • Published By :
  • Published Date : 2024-05-05 13:35:14

મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.. દર પાંચ વર્ષે આપણે આ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરતા હોઈએ છીએ.. મતદાન કરતા પહેલા અનેક વાતોને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ.. પરંતુ અગત્યનો સવાલ મતદાતાના મનમાં એ જાણવાનો હોય છે કે આગામી પાંચ વર્ષ દરમિયાન તેમના સાંસદ તેમના માટે શું કરશે? ઉમેદવારો કયા વિઝન સાથે ચૂંટણી લડી રહ્યા છે અને જનતા માટે તે શું કામ કરશે તે જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ બેઠકોના ઉમેદવારોને ફોન કરી રહી છે અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહી છે.

ભાજપના ઉમેદવાર સાથે ના થઈ શક્યો સંપર્ક કારણ કે...

જનતા વતી ઉમેદવારનું વિઝન જાણવા જમાવટની ટીમે કચ્છ લોકસભા બેઠકના બંને ઉમેદવારોને ફોન કર્યો હતો.. ભાજપના ઉમેદવાર છે વિનોદ ચાવડા જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નિલેશ લાલનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.. જમાવટની ટીમે ભાજપના ઉમેદવારને ફોન કર્યો ત્યારે તે ફ્રી ન હતા... એટલા માટે તેઓ કચ્છની જનતા માટે શું કામ કરશે તે જાણી શકાયું નથી.. મહત્વનું છે કે છેલ્લી અનેક ટર્મથી કચ્છમાં ભાજપનો વિજય થયો છે.


શું કહ્યું ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે?

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ લાલનનું વિઝન જાણવા માટે જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે કચ્છના પ્રાણ પ્રશ્નો જેવા કે નર્મદાના નીરના, એ તાલુકાઓમાં કોલેજની વાત હોય. એ શિક્ષકોની ઘટ હોય, સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ઘટ જેવા વિષયો પર તે કામ કરશે... મોરબી વિધાનસભા વિસ્તારમાં એક પણ ફરવા લાયક સ્થળ નથી..ત્યાં ઈન્ડસ્ટ્રીના મોટા પ્રોબ્લેમ છે,રેલવે કનેક્ટિવીટિના પ્રશ્નો છે સહિતના અનેક મુદ્દાઓ પર તે મજબૂતાઈથી કામ કરશે તેવી વાત તેમણે કરી હતી.. ત્યારે જોવું રહ્યું કે કચ્છની જનતા કોને મત આપી સંસદ પહોંચાડે છે?      



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.