જમાવટની ટીમે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને પૂછ્યા આકરા સવાલ.. જાણો જમાવટના પ્રશ્નોના યુવરાજસિંહે શું આપ્યા જવાબ..


  • Published By :
  • Published Date : 2023-04-15 12:00:16

પરીક્ષામાં નકલી ઉમેદવારો બેસવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા થોડા સમય પહેલા આ મામલે ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં અનેક લોકો પર નામ સાથે આરોપ લગાવ્યો હતો. જે બાદ ગઈકાલે ભાવનગર પોલીસ દ્વારા આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ ગેરરીતિમાં સંડોવાયેલા 36 લોકો વિરૂદ્ધ FIR નોંધવામાં આવી હતી. પરંતુ આ મામલે અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે.જેમ કે યુવરાજસિંહ પાસે દરેક માહિતી પહેલા કેવી રીતે આવી જાય છે, ઉપરાંત જો તમારી પાસે પુરાવા હોય છે તો કેમ સરકાર સમક્ષ પુરાવા પહેલા રજૂ કરવામાં નથી આવતા પહેલા પત્રકાર પરિષદ કરવામાં આવે છે?  


યુવરાજસિંહ પાસે માહિતી કેવી રીતે પહેલા પહોંચી જાય છે? 

અનેક લોકોના મનમાં એવા પ્રશ્નો થતાં હોય છે કે યુવરાજસિંહ પાસે આ બધી માહિતી પહેલા કેવી રીતે પહોંચતી હોય છે? એવા તો તેમના કેવા સૂત્રો છે જે તેમને આ માહિતી આપતા હોય છે. આ આકરા પ્રશ્ન જમાવટની ટીમે તેમને આ પૂછ્યા હતા. આ પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ તેમને આ અંગેની માહિતી આપતા હોય છે. સરકારી તંત્ર પર ભરોસો નહીં હોય અને મારી પર ભરોસો હશે જેને લઈ વિદ્યાર્થીઓ આ માહિતી મને પહોંચાડે છે. જવાબ આપતા તેમણે પોતાના એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. આ કિસ્સામાં તેમને આખા પ્રકરણની જાણ થઈ તેવી વાત યુવરાજસિંહે કરી હતી. 


કેમ સરકારને ડાયરેક્ટ જાણ કરવાની બદલી પ્રેસ કોન્ફરન્સ કરી પુરાવા રજૂ કરે  છે?  

એવો પ્રશ્ન એ થાય કે કેમ યુવરાજસિંહ પુરાવા હોવા છતાં આવી માહિતી કેમ પ્રેસ કોન્ફરન્સ દ્વારા તે આપે છે. સરકારને કેમ ડાયરેક્ટ પુરાવા રજૂ નથી કરતા? આ પ્રશ્ન યુવરાજસિંહને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે સરકાર ઉપરનો ભરોસો સરકાર ખોઈ બેસી છે. અનેક વખત પેપર લીક થયા છે પરંતુ તેને લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ વિદ્યાર્થીઓનો સરકાર પરથી ભરોસો ડગી ગયો હતો.  કારણ આપતા તેમણે કહ્યું ભૂતકાળમાં અનુભવ કરી ચૂક્યો છું. સરકારને પૂરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને કારણે તે પ્રેસ કરે છે અને પબ્લીક પ્રેશર આવે છે જે બાદ કાર્યવાહી કરવામાં આવે છે. 


શું યુવરાજસિંહ નામ હોવા છતાં પણ અનેક લોકોના નામ જાહેર નથી કરતા?  

તે ઉપરાંત યુવરાજસિંહ પર માહિતી છૂપાવવાના હોવાના આક્ષેપો પણ લાગતા રહે છે. યુવરાજસિંહ પાસે માહિતી હોય છે નામ પણ હોય છે પરંતુ તો પણ તે જાહેર નથી કરતા? આ પ્રશ્નો જવાબ આપતા તેમણે કહ્યું કે જ્યાં સુધી ક્રોસ વેરિફિકેશન વાળી માહિતી ન હોય ત્યાં સુધી તે નામોને જગજાહેર નથી કરતા. કોઈ વખત ગામોમાં અંગત અદાવતને કારણે પણ અનેક લોકો અનેક વ્યક્તિના નામ આપી દેતા હોય છે. એટલે જ્યાં સુધી આ મામલે ક્રોસ વેરિફિકેશન નથી થતું, જ્યાં સુધી પૂરાવા અને માહિતી સાચી હોવાની વાત તેમને નથી લાગતી ત્યાં સુધી તેઓ નામ જાહેર નથી કરતા.  


શું યુવરાજસિંહ પોતાના સમાજને છોડી બીજા સમાજને ટાર્ગેટ કરે છે? 

અનેક વખત એવા પ્રશ્નો પણ લોકોના મનમાં ઉભા થાય છે કે યુવરાજસિંહ પોતાના સમાજને છોડી બીજા સમાજને ટાર્ગેટ કરે છે. આ પ્રશ્ન જ્યારે તેમને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તે કોઈ પણ સમાજને ટાર્ગેટ નથી કરી રહ્યા. જ્યારે પણ પેપર ફૂંટ્યું છે ત્યારે આ ગામથી આ જગ્યાએથી પેપર ફૂટ્યું છે તે બતાવ્યું છે. આ મુદ્દો સામાજીક મુદ્દો જ નથી. વિદ્યાર્થીઓ કોઈ સમાજના નથી. વિદ્યાર્થી વિદ્યાર્થી તરીકે હોય છે. ગુન્હામાં નાતી-જાતિ જોઈ જ નથી.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!