જમાવટની ટીમે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને પૂછ્યા આકરા સવાલ.. જાણો જમાવટના પ્રશ્નોના યુવરાજસિંહે શું આપ્યા જવાબ..


  • Published By :
  • Published Date : 2023-04-15 12:00:16

પરીક્ષામાં નકલી ઉમેદવારો બેસવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા થોડા સમય પહેલા આ મામલે ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં અનેક લોકો પર નામ સાથે આરોપ લગાવ્યો હતો. જે બાદ ગઈકાલે ભાવનગર પોલીસ દ્વારા આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ ગેરરીતિમાં સંડોવાયેલા 36 લોકો વિરૂદ્ધ FIR નોંધવામાં આવી હતી. પરંતુ આ મામલે અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે.જેમ કે યુવરાજસિંહ પાસે દરેક માહિતી પહેલા કેવી રીતે આવી જાય છે, ઉપરાંત જો તમારી પાસે પુરાવા હોય છે તો કેમ સરકાર સમક્ષ પુરાવા પહેલા રજૂ કરવામાં નથી આવતા પહેલા પત્રકાર પરિષદ કરવામાં આવે છે?  


યુવરાજસિંહ પાસે માહિતી કેવી રીતે પહેલા પહોંચી જાય છે? 

અનેક લોકોના મનમાં એવા પ્રશ્નો થતાં હોય છે કે યુવરાજસિંહ પાસે આ બધી માહિતી પહેલા કેવી રીતે પહોંચતી હોય છે? એવા તો તેમના કેવા સૂત્રો છે જે તેમને આ માહિતી આપતા હોય છે. આ આકરા પ્રશ્ન જમાવટની ટીમે તેમને આ પૂછ્યા હતા. આ પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ તેમને આ અંગેની માહિતી આપતા હોય છે. સરકારી તંત્ર પર ભરોસો નહીં હોય અને મારી પર ભરોસો હશે જેને લઈ વિદ્યાર્થીઓ આ માહિતી મને પહોંચાડે છે. જવાબ આપતા તેમણે પોતાના એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. આ કિસ્સામાં તેમને આખા પ્રકરણની જાણ થઈ તેવી વાત યુવરાજસિંહે કરી હતી. 


કેમ સરકારને ડાયરેક્ટ જાણ કરવાની બદલી પ્રેસ કોન્ફરન્સ કરી પુરાવા રજૂ કરે  છે?  

એવો પ્રશ્ન એ થાય કે કેમ યુવરાજસિંહ પુરાવા હોવા છતાં આવી માહિતી કેમ પ્રેસ કોન્ફરન્સ દ્વારા તે આપે છે. સરકારને કેમ ડાયરેક્ટ પુરાવા રજૂ નથી કરતા? આ પ્રશ્ન યુવરાજસિંહને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે સરકાર ઉપરનો ભરોસો સરકાર ખોઈ બેસી છે. અનેક વખત પેપર લીક થયા છે પરંતુ તેને લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ વિદ્યાર્થીઓનો સરકાર પરથી ભરોસો ડગી ગયો હતો.  કારણ આપતા તેમણે કહ્યું ભૂતકાળમાં અનુભવ કરી ચૂક્યો છું. સરકારને પૂરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને કારણે તે પ્રેસ કરે છે અને પબ્લીક પ્રેશર આવે છે જે બાદ કાર્યવાહી કરવામાં આવે છે. 


શું યુવરાજસિંહ નામ હોવા છતાં પણ અનેક લોકોના નામ જાહેર નથી કરતા?  

તે ઉપરાંત યુવરાજસિંહ પર માહિતી છૂપાવવાના હોવાના આક્ષેપો પણ લાગતા રહે છે. યુવરાજસિંહ પાસે માહિતી હોય છે નામ પણ હોય છે પરંતુ તો પણ તે જાહેર નથી કરતા? આ પ્રશ્નો જવાબ આપતા તેમણે કહ્યું કે જ્યાં સુધી ક્રોસ વેરિફિકેશન વાળી માહિતી ન હોય ત્યાં સુધી તે નામોને જગજાહેર નથી કરતા. કોઈ વખત ગામોમાં અંગત અદાવતને કારણે પણ અનેક લોકો અનેક વ્યક્તિના નામ આપી દેતા હોય છે. એટલે જ્યાં સુધી આ મામલે ક્રોસ વેરિફિકેશન નથી થતું, જ્યાં સુધી પૂરાવા અને માહિતી સાચી હોવાની વાત તેમને નથી લાગતી ત્યાં સુધી તેઓ નામ જાહેર નથી કરતા.  


શું યુવરાજસિંહ પોતાના સમાજને છોડી બીજા સમાજને ટાર્ગેટ કરે છે? 

અનેક વખત એવા પ્રશ્નો પણ લોકોના મનમાં ઉભા થાય છે કે યુવરાજસિંહ પોતાના સમાજને છોડી બીજા સમાજને ટાર્ગેટ કરે છે. આ પ્રશ્ન જ્યારે તેમને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તે કોઈ પણ સમાજને ટાર્ગેટ નથી કરી રહ્યા. જ્યારે પણ પેપર ફૂંટ્યું છે ત્યારે આ ગામથી આ જગ્યાએથી પેપર ફૂટ્યું છે તે બતાવ્યું છે. આ મુદ્દો સામાજીક મુદ્દો જ નથી. વિદ્યાર્થીઓ કોઈ સમાજના નથી. વિદ્યાર્થી વિદ્યાર્થી તરીકે હોય છે. ગુન્હામાં નાતી-જાતિ જોઈ જ નથી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.