Jamawat News Bulletin - સરકારી ચોપડે રાજ્યમાં નોંધાયા આટલા બેરોજગારો, ખેડૂતો આજે ફરીથી કરશે દિલ્હી તરફ કૂચ...


  • Published By :
  • Published Date : 2024-02-14 09:17:50

એક તરફ યુવાનોને રોજગારી મળી રહી છે તેવી વાતો કરવામાં આવતી હોય છે પરંતુ વાસ્તવિક્તામાં અનેક યુવાનો બેરોજગાર છે. આપણા ઓળખીતાઓમાં પણ એવા હશે જેમને નોકરી નહીં મળી હોય! અનેક યુવાનો શિક્ષિત બેરોજગાર છે. ત્યારે રાજ્યમાં કેટલા લોકો બેરોજગાર છે તેનો આંકડો વિધાનસભામાં પેશ કરાયો હતો. કોંગ્રેસના ધારાસભ્યના સવાલ પર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશ તેમજ રાજ્યમાં બેરોજગારીનો દર ઘટ્યો છે. સરકારી ચોપડે નોંધાયેલા શિક્ષિત બેરોજગારીઓની વાત કરીએ તો તે આંકડો છે 2 લાખ 38 હજાર 978... 10,757 અર્ધ શિક્ષિત બેરોજગાર સરકારી ચોપડે નોંધાયા છે. મહત્વનું છે કે સરકારી ચોપડે બેરોજગારી ઘટી છે તેવા દાવા કરવામાં આવ્યા છે. વિધાનસભામાં જણાવામાં આવેલા આંકડા અનુસાર કેન્દ્રનો બેરોજગારી દર 4.3 ટકાથી ઘટીને 3.7 ટકા થયો છે જ્યારે રાજ્યમાં બેરોજગારીનો દર 2.2 ટકાથી ઘટીને 1.7 ટકા થયો છે...


ઉમેશ મકવાણા બન્યા ભાવગર લોકસભા સીટના દાવેદાર!

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાવનગર લોકસભા બેઠક પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવ્યા હતા. તે વખતે ચૈતર વસાવાના નામની જાહેરાત ભરૂચ લોકસભા સીટ માટે કરવામાં આવી હતી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર લોકસભા સીટ માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. બોટાદના ધારાસભ્યને ભાવનગર લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાન માટે ઉતાર્યા છે.    


ખેડૂતો આજે ફરીથી દિલ્હી તરફ કરશે કૂચ  

છેલ્લા કેટલાય દિવસોથી જગતના તાત પોતાની માગને લઈ પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે. દિલ્હીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાયું છે. બોર્ડરો સિલ કરી દેવામાં આવી છે. ગઈકાલે હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. બોર્ડર પર મોટા મોટા ખીલ્લાઓ મૂકવામાં આવ્યા છે. સિમેન્ટના બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે. ખેડૂતોએ બેરિકેટ તોડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પોલીસ અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા જેને કારણે અનેક લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. આજે પણ ઘર્ષણના કિસ્સાઓ બની શકે છે તેવી શક્યતાઓ છે. આંદોલનને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. 


સોનિયા ગાંધી આજે નોંધાવી શકે છે ઉમેદવારી 

કોંગ્રેસના અગ્રણી નેતાઓએ લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના સાથી પક્ષો સાથે સીટોની વહેંચણી અને રાજ્યસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોના નામ પર સોમવારે ચર્ચા કરી હતી. સુત્રોનું કહેવું છે કે કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી અને ખજાનચી અજય માકનનું નામ સૌથી ટોચ પર છે. પાર્ટી સુત્રોનું કહેવું છે કે રાજસ્થાન કે હિમાચલ પ્રદેશથી ઉમેદવાર બનાવવામાં આવે તેવી સંભાવના છે. સંખ્યાની દ્રષ્ટીએ બંને રાજ્યોમાંથી કોંગ્રેસને રાજ્ય સભાની એક-એક સીટ મળશે. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.


પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019એ થયો હતો આતંકી હુમલો 

14 ફેબ્રુઆરીના દિવસે અનેક લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોય છે. પ્રેમનો દિવસ 14 ફેબ્રુઆરીને માનવામાં આવે છે. પરંતુ ભારત દેશના સેનાના જવાન માટે તેમજ ભારત દેશ માટે વર્ષ 2019ની 14 ફેબ્રુઆરી કાળો દિવસ સાબિત થયો હતો. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામાં આંતકી હુમલો થયો હતો. આતંકી હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી હુમલો થયો હતો અને ભારત દેશે આ દિવસે પોતાના 40 વીર સંતાનોને ગુમાવ્યા હતા. ત્યારે દેશ માટે પોતાના પ્રાણ આપનાર દેશના વીર જવાનોને યાદ કરીએ...   



ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.