જમાવટ આજે તમને એક સવાલ કરે છે, તેનો જવાબ તમારી પાસે છે?


  • Published By :
  • Published Date : 2023-03-19 14:15:18

મહાઠગ કિરણ પટેલનો મામલો બહાર આવતાં જ આખા દેશમાં હંગામો મચી ગયો છે. કિરણ પટેલે એકલા હાથે કરેલા આ મસમોટા કારસ્તાનથી સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે. લોકો આ બાબતને ખુબ જ હળવાશથી લઈ રહ્યા છે. કિરણ પટેલે દેશની સુરક્ષા સિસ્ટમ, ઉચ્ચ અધિકારીઓ, તપાસ એજન્સીઓને રીતસર મામુ બનાવી છે. હવે સવાલ એ થાય છે કે કિરણ પટેલના સ્થાને લઘુમતી સમુદાયનો કોઈ યુવાન કાસબ પઠાણ હોત તો? સરકારની પ્રતિક્રિયા શું હોત?


કિરણ પટેલના સ્થાને કાસબ પઠાણ હોત તો?


કિરણ પટેલે કાશ્મિરમાં છ મહિના સુધી ઝેડ પ્લસ સુરક્ષા મેળવીને સરકારી ખર્ચે તાગડધિન્ના કર્યા છે. જામરવાળી અને બુલેટ પ્રુફ ગાડીઓમાં કાશ્મિરના અનેક સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ચુકેલા આ કિરણ પટેલના સ્થાને જો તેનું નામ કાસબ પઠાણ નામ હોત તો સરકારની એજન્સીઓએ તેની સામે કેવી કલમો લગાવી હોત. સામાન્ય લોકોની પ્રતિક્રીયા પણ કેવી રહેત તે સમજી શકાય તેવું છે. મીડિયાએ પણ તે સમાચારને એક અલગ જ એન્ગલથી રજુ કર્યા હોત. આપણે ત્યાં સામાન્ય માનસિક્તા એવી છે કે લોકો આ પ્રકારની ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિમાં પણ ધર્મ, જાત, વર્ણ શોધે છે અને તે પ્રમાણે તેમનું વલણ નક્કી કરે છે. 


કિરણ પટેલનો મુદ્દો સંવેદનશીલ કેમ?


કિરણ પટેલનું નામ ઠગાઈમાં સામે આવતાં જ ગુજરાતના રાજકારણ અને સેલિબ્રિટી જગતમાં હલચલ મચી ગઈ છે. કિરણ પટેલ ભાજપના અનેક નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ અને સલિબ્રિટીઓ સાથે ફોટો પડાવીને રોફ જમાવતો હતો. તેણે કાશ્મિરમાં પીએમઓના એડિશનલ અધિકારી તરીકે ઝેડ પ્લસ સુરક્ષા મેળવીને છ મહિના સુધી તાગડધિન્ના કર્યા છે. આ ખુબ જ મહત્વનો મુદ્દો છે, તેને આમ મજાકમાં લઈ શકાય નહીં.


અત્રે ઉલ્લેખનિય છે કે કિરણ પટેલ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના નાઝ ગામનો વતની છે. ઘોડાસર વિસ્તારમાં પ્રેસ્ટિજ સોસાયટીમાં રહેતા મહાઠગ કિરણ પટેલે હાલ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.