Jamawat Election Yatra પહોંચી Surendranagar જ્યાં PM Modiની સભા છે, જાણો કેવો છે ત્યાંના મતદાતાનો મિજાજ, કયા મુદ્દાઓ કરે છે અસર?


  • Published By :
  • Published Date : 2024-05-02 12:20:31

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે...ગુજરાતમાં પ્રચારની કમાન વડાપ્રધાન મોદીએ સંભાળી છે...  ગઈકાલથી પીએમ મોદી ગુજરાતમાં છે. આજે અનેક જગ્યાઓ પર તેઓ જનસભાને સંબોધવાના છે... આજે પીએમ મોદી સુરેન્દ્રનગરમાં સભાને સંબોધવાના છે.. જમાવટની ઈલેક્શન યાત્રા સુરેન્દ્રનગર પહોંચી હતી અને ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાની કોશિશ કરી હતી. કયા મુદ્દાઓને લોકો ધ્યાનમાં લેતા હોય છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.... 

યા મુદ્દાઓ કરે છે સ્થાનિક મતદારને અસર?  

જમાવટની ઈલેક્શન યાત્રા સુરેન્દ્રનગર પહોંચી હતી.. સ્થાનિક મુદ્દાઓને સમજવા માટે, લોકોનો મિજાજ સમજવા માટે ચાની કિટલી પર ઉભા લોકો સાથે ટીમ વાત કરતી હોય છે... ત્યારે ચાની કિટલી પર હાજર લોકો સાથે જમાવટની ટીમે વાત કરી હતી.. મુદ્દાઓ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મોંઘવારીની, રોજગારીની વાતો કરી... કોઈએ કોંગ્રેસની વાત કરી તો કોઈએ ભાજપની વાત કરી... 


કોઈએ કહ્યું નવી સરકાર જોઈએ તો કોઈએ કહ્યું કે...  

કોઈ મજૂરી કામ કરતા મજૂરો હતા.. મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે ચૂંટણીને લઈ તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પરિસ્થિતિ બહુ ખરાબ છે ભાજપ સરકાર જાય છે... રોજગારી મળતી નથી.. મજૂરી નથી વધતી, મોંધવારી વધી રહી છે.. તેમણે કહ્યું કે સરકાર ગમે તે હોય બધા ચોર જ છે..! નવી સરકાર આવી જોઈએ તેવી વાત મતદાતા દ્વારા કરવામાં આવી હતી...મોંઘવારીને લઈ કોઈએ કહ્યું કે જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી મોંઘવારી વધતી જ જાય છે, ઓછું થવાનું નામ લેતી જ નથી.. 


કોણ છે સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર?

રોડ રસ્તા માટે તેમણે કહ્યું કે રોડ રસ્તા વેપારી માટે છે. તેમને સારા રોડ રસ્તાથી ફરક નથી પડતો તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી... સામાન્ય માણસને મોંઘવારી નડે છે.. કોંગ્રેસના રાજમાં આટલી મોંઘવારી ન હતી તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે... જ્યારે ઉમેદવારને લઈ તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમને ખબર ન હતી કે ઉમેદવાર કોણ છે. તમને જણાવી દઈએ કે ચંદુભાઈ શિહોર છે ભાજપના ઉમેદવાર અને ઋત્વિક મકવાણાએ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર... જે સરકાર મોંઘવારી ઉતારે તે સરકાર સાચી..


ભાજપના એક મતદાતાએ કર્યા વખાણ!

જ્યારે બીજા મતદાતાને પૂછવામાં આવ્યું કે વિકાસના કામો થયા છે કે નહીં તો તેમણે કહ્યું કે વિકાસના કામો થયા છે... વિપક્ષને લઈ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ઈનું તો કાંઈ ના ઉપજે... કોઈએ કહ્યું કે ભાજપની સરકાર આવ્યા બાદ કોઈ પ્રોબ્લેમ રહ્યો જ નથી... આ વખતે ભાજપ જ આવશે તેવી વાત વધુ એક મતદાર દ્વારા કરવામાં આવી છે... અનેક લોકોને મોંઘવારીનો મુદ્દો નડે છે પરંતુ મુખ્યત્વે જગ્યાઓ પર મતદાતા ભાજપના તરફેણમાં દેખાયા તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. ત્યારે જોવું રહ્યું કે આ બેઠક પર શું પરિણામ આવે છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.