Jamawat Election Yatra પહોંચી Amreliના લોકોનો મિજાજ જાણવા, જનતા કહે છે બંને ઉમેદવારો અમારા માટે નવા છે!


  • Published By :
  • Published Date : 2024-05-04 13:25:55

7મી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે... મતદાતાનો મિજાજ જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા વિસ્તારમાં ફરી રહી છે.. લોકોનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ પહોંચી હતી અમરેલી... અમરેલી સીટ આ વખતે Interesting એટલા માટે છે કારણ કે જેમના માટે માનવામાં આવતું કે ભાજપ આ બેઠક પર આ ઉમેદવારને ઉતારી શકે છે તેમને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર બનાવી દીધા છે.. નવા ઉમેદવારોને રાજકીય પાર્ટી દ્વારા ઉતારવામાં આવ્યા છે.

રાજનેતાઓ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે... 

અમરેલીના લોકો સાથે જ્યારે વાત કરી ત્યારે અનેક મતદાતાઓ મળ્યા જેમણે મોદી સરકારના વખાણ કર્યા.. તો અનેક એવા લોકો પણ મળ્યા જેમણે સ્થાનિક સમસ્યાની વાતો કરી... 400 પારને લઈ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પાર થઈ જશે..! નોકરીઓની સારી સુવિધાઓ ઉભી થઈ છે વગેરે વગેરે... જ્યારે બીજા એક મતદાતાને સવાલ પૂછવામાં આવ્યો ઉમેદવારને લઈ ત્યારે તેમનો રોષ જાણે બહાર આવી ગયો તેવું લાગ્યું...! ઉમેદવારના શિક્ષણને લઈ તેમણે વાત કરી હતી.. તેમણે અમરેલીના હમણાંના સાંસદ અને રાજનેતા વિશે વાત કરી. 


પાણીની સમસ્યાને લઈ ભડકી ઉઠી મહિલા!

સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન નથી આપવામાં આવતું તેની વાત કરી.. ઉપરાંત તેમણે લોકોને લઈને પણ વાત કરી અને કહ્યું કે લોકોમાં જાગૃતિનો અભાવ છે... જે સામો પડે તો તેને દબાવવામાં આવે છે...! કોઈએ મોદી છે એટલે મોંઘવારી છે...! મોંઘવારીનો મુદ્દો મોદી ઉપાડશે જ નહીં તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. ખાનગી કરણની પણ તેમણે વાત કરી હતી.. જ્યારે બીજા એક મતદાતાને પૂછવામાં આવ્યું કે પાણી પહોંચ્યું છે ત્યારે તેમણે કહ્યું કે પાણી ક્યાં પહોંચાડવામાં આવ્યું છે.? અમારા ગામમાં તો પાણી જ નથી આવતું. અઠવાડિયામાં માત્ર બે દિવસ પાણી આવે અને એ પણ માત્ર એક કલાક...


જનતાની જાગૃત્તિને લઈ કહી આ વાત...!

ભારતીય જનતા પાર્ટીએ ભરત સુતરિયાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે જેનીબેન ઠુમ્મરને ઉમેદવાર બનાવ્યા છે. કોઈએ કહ્યું કે ભાજપની જીત થશે કારણ કે અહીંયા કામો થયા છે...જ્યારે તેમને લોકસભા ચૂંટણીને લઈ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે સામા પક્ષે એવા કોઈ નાયક નથી જેવા ભાજપ પાસે પીએમ મોદી છે...! પ્રધાનમંત્રીનો ચહેરો ઈન્ડિયા ગઠબંધન દ્વારા જાહેર કરવામાં જ નથી આવ્યો... જ્યારે બીજા એક મતદારને ઉમેદવાર વિશે પૂછવામાં આવ્યું કે ઉમેદવાર તો હોવા જોઈએને જેને ઓળખતા હોઈએ... જ્યારે બીજા મતદારને પૂછવામાં આવ્યું કે વિકાસ કેટલો થયો છે ત્યારે તેમણે થયું કે કામ નથી થયા.. જનતા જાગૃત્ત નથી..  ત્યારે જોવું રહ્યું કે અમરેલીની જનતા કોને મત આપે છે?



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.