નમસ્કાર ગુજરાત... અમે હાજર છીએ, ગુજરાતી મીડિયાના આકાશમાં અમારુ અને તમારુ અસ્તિત્વ એકસાથે વિકસાવવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 12:04:34

ગુજરાતની જન-ચેતના માટે
ગુજરાતની અસ્મીતા માટે
કર્તવ્યો માટે સભાનતા સાથે
અધિકાર માટે બુલંદી સાથે
ગુજરાતીઓ હવે જોશે એમની ભાષામાં સમાચાર
જ્યાં નથી કોઈ નિયમ, નથી કોઈ મર્યાદા, માત્રને માત્ર મોજ-મોજ-મોજ
ગુજરાતમાં હવે થશે જમાવટ...!


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY DEVANSHI JOSHI

Jamawat Media ગુજરાતનું પહેલું ડિજીટલ માધ્યમ જે તમારી ભાષામાં તમને જરૂરી સમાચાર આપે છે, માત્ર સમાચાર નહીં પણ ગુજરાતને જરૂરી વિચાર અને અભિપ્રાયો પણ હોય છે, ક્યારેક સત્તા સુઈ જાય તો એને ઢંઢોળે છે, ક્યારેક વિપક્ષની આળસને પડકારે છે, તમારા પ્રશ્નો ના સંભળાય ત્યાં પોતે વિપક્ષ બની જાય છે, અને જનતા રાજનીતિક ચશ્મા પહેરીને દંભી બનતી જાય તો તમારી અંદરના નાગરીકને પણ ઢંઢોળે છે, જમાવટ તમને મોજ આપશે, સંતોષ આપશે, મજા કરાવશે પણ તમારી અંદર દેશ માટેના કર્તવ્ય અને નાગરીકના અધિકારોની ચેતના જીવંત રાખશે

જમાવટ જ કેમ?

જમાવટ આપણી ભાષા, આપણી બોલચાલનો ખુબ સામાન્ય શબ્દ છે, આપણે કોમન વાતચીતમાં જ્યારે મોજ પડી જાય ત્યારે કહીએ છીએ જમાવટ થઈ ગઈ, પણ સામાન્ય માણસના જીવનમાં જમાવટ લાવવા માટે જરૂર પડે છે એને અધિકારોની, રાજનીતિક સજાગતાની અને કર્તવ્યો નિભાવવાની જવાબદારીની, જ્યારે આપણે જાતિ-ધર્મથી ઉપર ઉઠીને દેશનો વિચાર કરીએ છીએ અને આગળ જતા વિશ્વનો વિચાર કરીને વૈશ્વિક માનવી બનીએ છીએ ત્યારે થઈ જાય છે જમાવટ, જ્યારે આપણે સત્તાને સવાલ કરતા થઈએ છીએ અને પ્રશ્નોને પડકાર ફેંકીએ છીએ ત્યારે થઈ જાય છે જમાવટ, અને એટલે મોજમાં રહેવા, જલસા કરવા, જમાવટ કરવા જરૂરી દરેક વાતો તમને અહીંયા જોવા મળશે, એટલે જ અમે કહીએ છીએ ગુજરાતમાં હવે થશે જમાવટ.


 

અહીં તમને શું જોવા મળશે?

ગુજરાત અને દેશની રાજનીતિ, સમાજ જીવન, સાંપ્રત ઘટનાઓના સમાચાર અને સમાચાર પર અમારા વિચાર, તમારા જીવનને અસર કરતા દરેક પાસા પર વાત, ઈન્ટરવ્યુઝ, વિશ્લેષલ સાથેની વાતો અને બાકી તમે મોજમાં રહો એના માટે જે થઈ શકે એ બધું જ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે