જામા મસ્જિદે એકલી યુવતીઓની નો-એન્ટ્રીની નોટિસ પર મસ્જિદ મેનેજમેન્ટે કર્યો ખુલાસો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-24 16:58:26

જામા મસ્જિદમાં એકલી મહિલાઓનો પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. મસ્જિદના ત્રણેય દરવાજા પર એક નોટિસ લગાવી દેવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે જામા મસ્જિદમાં છોકરીઓને એકલા પ્રવેશ કરવાની મનાઈ ફરવામાં આવી દીધી છે. જેને કારણે આ મામલો ગરમાયો છે. અનેક લોકો આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે તો અનેક લોકો આ વાતનું સમર્થન કરી રહ્યા છે. ત્યારે આ નિર્ણયને દિલ્હી કમિશ્નર ફોર વુમનના ચેરપર્સન સ્વાતિ માલિવાલે પણ પોતાના પ્રક્રિયા આપી છે. 

No man, no entry': Delhi's Jama Masjid bans entry of women unaccompanied by  men


સ્વાતિ માલવાલે કરી ટ્વિટ

પ્રતિક્રિયા આપતા સ્વાતિ માલવાલે કહ્યું કે જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશને રોકવાનો નિર્ણય તદ્દન ખોટો છે. ઈબાદત કરવાનો હક જેટલો પૂરુષોનો છે એટલો જ હક મહિલાઓનો પણ છે. હું જામા મસ્જિદના ઈમામને નોટિસ ફટકારૂ છું. આવી રીતે મહિલાઓની એન્ટ્રી બેન કરવાનો અધિકાર કોઈને નથી.

      

ધાર્મિક સ્થાનો પર યુવતીઓ અયોગ્ય કૃત્ય કરે છે - મસ્જિદ મેનેજમેન્ટ 

દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ વિવાદમાં આવી છે. મસ્જિદ મેનેજમેન્ટે મસ્જિદમાં એકલી છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મેનેજમેન્ટના કહેવા સ્વાતિ માલિવાલે નોટીસ ફટકારી છે. જેનો જવાબ આપતા કહેવામાં આવ્યું હતું કે પ્રમાણે યુવતીના એકલા પ્રવેશ પર એટલા માટે પ્રતિબંધ મૂવામાં આવ્યો છે કારણ કે ધાર્મિક સ્થાનો પર યુવતીઓ અયોગ્ય કૃત્ય કરે છે અને વીડિયો શૂટ કરે છે. 

VHP holds trishul deeksha of 300 activists in Ayodhya | Lucknow News -  Times of India

VHPએ આપી પ્રતિક્રિયા

જામા મસ્જિદમાં મહિલાઓ માટે લગાવેલા પ્રતિબંધો પર VHPએ પોતાની પ્રક્રિયા આપી છે. વીએચપીના પ્રવક્તાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતને સીરિયા બનાવવાની માનસિકતા ધરાવતા મુસ્લિમ કટ્ટરપાર્ટીઓએ ઈરાનમાં બનેલી બોધપાઠ લેવો જોઈએ. સરકાર એક તરફ બેટી બચાવો અભિયાન ચલાવી રહી છે તો બીજી તરફ કટ્ટર માનસિકતા ધરાવતા લોકો તેમના પવિત્ર સ્થાનમાં જ તેમનો પ્રવેશ અટકાવી રહી છે.    


માત્ર સિંગલ યુવતીઓના પ્રવેશ પર પ્રતિબંધ - મસ્જિદ મેનેજમેન્ટ

મેનેજમેન્ટના મતે પરિવારનું કોઈ પણ સદસ્ય તેમની જોડે આવશે તો તેમને મસ્જિદમાં પ્રવેશ આપવામાં આવશે. પરિવારો અથવા પરિણીત યુગલો પર કોઈ નિયંત્રણ લાદવામાં નથી આવ્યા. આ દલીલને અને મસ્જિદ મેનેજમેન્ટના નિર્ણય પર દિલ્હી કમિશ્નર ફોર વુમનના ચેરપર્સન સ્વાતિ માલિવાલે પણ પોતાના પ્રક્રિયા આપી છે.  




નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી.

છોટા ઉદેપુરને પ્રકૃતિએ ઘણું બધું આપ્યું છે.... પ્રાકૃતિક સૌંદર્ય તો છે પંરતુ ત્યાં સુવિધાઓ નથી.. એવી સુવિધાઓ જે આપણા માટે એકદમ સામાન્ય હોય.. લોકોને અવર જવર કરવી હોય ત્યારે એવા એવા વિસ્તારોમાંથી પસાર થવું પડે કે આપણને વિચાર આવે કે દરરોજ આવા વિસ્તારથી કેવી રીતે પસાર થવું..

શબ્દો શણગારી પણ શકે છે અને શબ્દો બાળી પણ શકે છે.. શબ્દો પાસે એટલી તાકાત રહેલી છે.. અનેક લોકો એવા હોય છે જો તેમને આપણે સમજાવીએ તો સામે તે આપણને સમજાવા લાગે