જામા મસ્જિદે એકલી યુવતીઓની નો-એન્ટ્રીની નોટિસ પર મસ્જિદ મેનેજમેન્ટે કર્યો ખુલાસો


  • Published By :
  • Published Date : 2022-11-24 16:58:26

જામા મસ્જિદમાં એકલી મહિલાઓનો પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. મસ્જિદના ત્રણેય દરવાજા પર એક નોટિસ લગાવી દેવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે જામા મસ્જિદમાં છોકરીઓને એકલા પ્રવેશ કરવાની મનાઈ ફરવામાં આવી દીધી છે. જેને કારણે આ મામલો ગરમાયો છે. અનેક લોકો આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે તો અનેક લોકો આ વાતનું સમર્થન કરી રહ્યા છે. ત્યારે આ નિર્ણયને દિલ્હી કમિશ્નર ફોર વુમનના ચેરપર્સન સ્વાતિ માલિવાલે પણ પોતાના પ્રક્રિયા આપી છે. 

No man, no entry': Delhi's Jama Masjid bans entry of women unaccompanied by  men


સ્વાતિ માલવાલે કરી ટ્વિટ

પ્રતિક્રિયા આપતા સ્વાતિ માલવાલે કહ્યું કે જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશને રોકવાનો નિર્ણય તદ્દન ખોટો છે. ઈબાદત કરવાનો હક જેટલો પૂરુષોનો છે એટલો જ હક મહિલાઓનો પણ છે. હું જામા મસ્જિદના ઈમામને નોટિસ ફટકારૂ છું. આવી રીતે મહિલાઓની એન્ટ્રી બેન કરવાનો અધિકાર કોઈને નથી.

      

ધાર્મિક સ્થાનો પર યુવતીઓ અયોગ્ય કૃત્ય કરે છે - મસ્જિદ મેનેજમેન્ટ 

દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ વિવાદમાં આવી છે. મસ્જિદ મેનેજમેન્ટે મસ્જિદમાં એકલી છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મેનેજમેન્ટના કહેવા સ્વાતિ માલિવાલે નોટીસ ફટકારી છે. જેનો જવાબ આપતા કહેવામાં આવ્યું હતું કે પ્રમાણે યુવતીના એકલા પ્રવેશ પર એટલા માટે પ્રતિબંધ મૂવામાં આવ્યો છે કારણ કે ધાર્મિક સ્થાનો પર યુવતીઓ અયોગ્ય કૃત્ય કરે છે અને વીડિયો શૂટ કરે છે. 

VHP holds trishul deeksha of 300 activists in Ayodhya | Lucknow News -  Times of India

VHPએ આપી પ્રતિક્રિયા

જામા મસ્જિદમાં મહિલાઓ માટે લગાવેલા પ્રતિબંધો પર VHPએ પોતાની પ્રક્રિયા આપી છે. વીએચપીના પ્રવક્તાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતને સીરિયા બનાવવાની માનસિકતા ધરાવતા મુસ્લિમ કટ્ટરપાર્ટીઓએ ઈરાનમાં બનેલી બોધપાઠ લેવો જોઈએ. સરકાર એક તરફ બેટી બચાવો અભિયાન ચલાવી રહી છે તો બીજી તરફ કટ્ટર માનસિકતા ધરાવતા લોકો તેમના પવિત્ર સ્થાનમાં જ તેમનો પ્રવેશ અટકાવી રહી છે.    


માત્ર સિંગલ યુવતીઓના પ્રવેશ પર પ્રતિબંધ - મસ્જિદ મેનેજમેન્ટ

મેનેજમેન્ટના મતે પરિવારનું કોઈ પણ સદસ્ય તેમની જોડે આવશે તો તેમને મસ્જિદમાં પ્રવેશ આપવામાં આવશે. પરિવારો અથવા પરિણીત યુગલો પર કોઈ નિયંત્રણ લાદવામાં નથી આવ્યા. આ દલીલને અને મસ્જિદ મેનેજમેન્ટના નિર્ણય પર દિલ્હી કમિશ્નર ફોર વુમનના ચેરપર્સન સ્વાતિ માલિવાલે પણ પોતાના પ્રક્રિયા આપી છે.  




અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.