જયસુખ પટેલને જામીન મળશે કે જેલ? મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ આજે કરશે ફેંસલો


  • Published By :
  • Published Date : 2023-03-07 13:08:12

મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના માટે દોષિત મનાતા ઓરેવા ગ્રુપના એમ ડી જયસુખ પટેલ છેલ્લા 27 દિવસથી જેલમાં બંધ છે. જયસુખ પટેલે મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે અંગે આજે કોર્ટ ફેંસલો સંભળાવશે.અત્રે ઉલ્લેખનિય છે કે જયસુખ પટેલની જામીન અરજી પર ત્રણ દિવસ અગાઉ સુનાવણી યોજાઈ હતી જેમાં કોર્ટે બંન્ને પક્ષોની દલીલ સાંભળી હતી. 


કોર્ટમાં શું દલીલો થઈ?


જયસુખ પટેલની જામીન અરજી પર  મોરબી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ગત 4 માર્ચે કોર્ટમાંસુનાવણી યોજાઈ હતી. જામીન મુદ્દે બંને પક્ષના વકીલોએ જોરદાર દલીલો રજૂ કરી હતી. જયસુખ પટેલના વકીલે હાઈકોર્ટના આદેશનો હવાલો આપીને દલીલ રજૂ કરી હતી કે, બેંકનું કામ અને પીડિતોને વળતર ચૂકવવા માટે જયસુખ પટેલને વચગાળાના જામીન મંજૂર કરવા જોઈએ. જો કે સરકારી વકીલે સામે દલીલો રજૂ કરતા કહ્યું કે,  જયસુખ પટેલ ત્રણ માસથી ભાગતા ફરતા હતા. વળી તે એક મહિનાથી જેલમાં બંધ છે,  છતાં કંપનીનો વહીવટ ચાલે છે એટલે જયસુખ પટેલનું બહાર આવવું જરૂરી નથી. જે બાદ નામદાર મોરબી કોર્ટે  જામીન અંગે ચુકાદો આપવાની તારીખ આગામી 7મી માર્ચ નિર્ધારીત કરી હતી.


 HC એ વળતરનો કર્યો હતો આદેશ


મોરબી બ્રીજ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલને મૃતકના પરિવારજનોને રૂ.10-10 લાખ અને ઘાયલોને રૂ. 2-2 લાખ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. તે સમયે હાઈકોર્ટે એવી ટકોર પણ કરી હતી.


મામલો શું છે?


મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો બ્રિજ 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે આ પુલ 5 દિવસમાં જ તૂટી પડ્યો હતો અને 135 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થતો. આ ભયાનક દુર્ઘટના બાદ સમગ્ર રાજ્ય અને દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. આ બ્રિજનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.