શત્રુંજય મહાતીર્થ મુદ્દે જૈન સમાજ લડી લેવાના મૂડમાં, સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ


  • Published By :
  • Published Date : 2023-01-01 17:37:05

શત્રુંજય મહાતીર્થ મુદ્દે જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, લાખો જૈનોની આસ્થાના પ્રતિક એવા શત્રુંજય મહાતીર્થને બચાવવા માટે જૈન સમાજે અમદાવાદમાં રેલી યોજી હતી. શહેરના પાલડી ચાર રસ્તાથી RTO સુધી યોજાયેલી આ 3 કિમી કરતાં લાંબી વિશાળ રેલીમાં જૈન ધર્માચાર્યો સાથે  15 હજાર કરતાં વધુ લોકો જોડાયા હતા. પાલડી ચાર રસ્તાથી ઇન્કમટેક્ષથી વાડજ થઈ RTO ખાતે રેલી પહોંચી હતી. આ રેલી દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર કરી  તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતા. 


ઉગ્ર આંદોલનની સરકારને ચિમકી


જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા આયોજીત કરવામાં આવેલી આ મહારેલી 11 વાગે રેલી સુભાશ બ્રિજ કલેકટર કચેરી પાસેના બત્રીસી હોલ પાસે પહોંચી હતી, જૈન સમાજની લાગણી અંગે સરકાર ધ્યાન નહીં આપે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ શ્વેતામ્બર જૈન સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.


જૈન સમાજમાં રોષ શા માટે?


જૈન સમાજમાં ભયાનક આક્રોશનું કારણ પાલિતાણામાં રોહિશાળા ખાતે આદિનાથ પ્રભુનાં પગલાંની તોડફોડ, શત્રુંજય પર્વત પર સીસીટીવી કેમેરા અને બોર્ડની તોડફોડ, શત્રુંજય પર્વત ગેરકાયદે બાંધકામો અને ગેરકાયદે માઈનિંગ, મના રાઠોડ સહિતના માથાભારે તત્ત્વોનો આતંક, તળેટી રોડ પરના લારી-ગલ્લા વગેરેનાં દબાણો, જંબુદ્વીપ નજીક આવેલી દારૂની ભઠ્ઠીઓ અને ડોલી એસોશિયેશનની જોહુકમી વગેરે મુદ્દાઓના કારણે જૈન સમાજની ધીરજ ખુટી ગઈ છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.