જૈન આક્રોશના પડઘા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ પડ્યા


  • Published By :
  • Published Date : 2023-01-03 15:30:43

જૈનોની આસ્થાના શહેર પાલિતાણામાં આદિનાથના પગલાને નુકસાન પહોંચતા અને સરકારે ઝારખંડમાં સ્થિત સમ્મેત શીખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતા જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આજે સુરત શહેરમાં આક્રોશની મહારેલી થઈ હતી. સુરત શહેરમાં જૈન સમાજે કલેક્ટરને આવેદન આપ્યું હતું. આવેદન આપવા સમયે સુરત શહેરમાં જૈનોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. જૈન સમાજ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે સુરતની 3 કિલોમીટર સુધીની યોજાયેલી રેલીમાં 10 હજારથી વધુ અનુયાયીઓ જોડાયા હતા. 


જૈન સુરક્ષા મામલે પોલીસ ખડકાઈ

ભાવનગરના પાલીતાણા શહેરના શેત્રુંજય પર્વત પર અસામાજિક  તત્વોએ થોડા દિવસો પહેલા તોડફોડ કરી હતી. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં જૈન સમાજે વિરોધ નોંધાવ્યા હતા. ત્યારે શેત્રુંજય પર્વત પર કાયદો અને સુરક્ષા જાળવી રાખવા માટે પોલીસ ચોકી ઉભી કરી દેવાઈ છે. આ પોલીસ ચોકીમાં 1 પોલીસ સબ ઈન્સપેક્ટર, 1 આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર અને 10 પોલીસ કર્મચારીનો કાફલો ઉભો કરી દેવાયો છે. શેત્રુંજય પર્વત પર કોઈ ઘર્ષણ વગેરે ના થાય તે વાતને ધ્યાનમાં રાખીને પોલીસને ઉભી કરી દેવાઈ છે. 

"સમ્મેત શીખર અમારી આસ્થા અને લાગણીનું પ્રતિક"

જૈન સમાજ માગણી કરી રહ્યો છે કે સરકારે શેત્રુંજય અને સમ્મેત શીખરને તીર્થસ્થળ તરીકે જાહેર કરે. સરકારે સમ્મેત શીખરને તીર્થસ્થળની જગ્યાએ પર્યટન સ્થળ જાહેર કર્યું છે. તેથી દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે કે સમ્મેત શીખરને પર્યટન સ્થળ નહીં તીર્થસ્થળ જાહેર કરો. જૈન સમાજની માગણી છે કે સમ્મેત શીખર તેમની લાગણી અને આસ્થાનું પ્રતિક છે. 




ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.