ભાવનગર તોડકાંડના યુવરાજસિંહ જાડેજા સહિત તમામ 6 આરોપીઓેની જેલ ટ્રાન્સફરની અરજી નામંજૂર


  • Published By :
  • Published Date : 2023-05-05 14:12:47

ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત 6 આરોપીઓની જેલ ટ્રાન્સફર નામંજુર કરવામાં આવી છે. ભાવનગર પોલીસે આરોપીઓ સાથે કોઈ અઘટિત બનાવ ન બને તે માટે તેમની સુરક્ષા માટે જેલ ટ્રાન્સફર કરવાની માગ કરવામાં આવી હતી. જો કે ફાસ્ટ ટ્રેક કોર્ટના એડિશનલ ન્યાયમૂર્તિએ તમામ 6 આરોપીઓની જેલ ટ્રાન્સફર કરવાની માગ નામંજુર કરી છે.


આરોપીઓની જેલ ટ્રાન્સફર માગ રિજેક્ટ


પોલીસ પ્રશાસન દ્વારા તમામ 6 આરોપીઓની જેલ ટ્રાન્સફર માંગવામાં આવી હતી. આ અંગે પોલીસે આરોપીઓની સુરક્ષાનું કારણ ફાસ્ટ ટ્રેક કોર્ટ સમક્ષ ધર્યું હતું. જેલમાં બંધ 6 આરોપીઓ સાથે કોઈ અઘટીત ઘટના ન બને તે માટે પોલીસે આરોપીઓની જેલ ટ્રાન્સફરની માગ કરી હતી. જો કે ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયમૂર્તિએ તોડકાંડના 6 આરોપીઓની જેલ ટ્રાન્સફરની પોલીસની માગ રિજેક્ટ કરી હતી. 


પોલીસે વ્યક્ત કરી આ આશંકા


તોડકાંડમાં મામલે પોલીસે યુવરાજસિંહ જાડેજા, તેમના બે સાળા સહિત 6 આરોપી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. જોકે રિમાન્ડ પૂર્ણ થતાં તોડકાંડના તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા હતા. તોડકાંડને લઈને કોઈ અણબનાવ સામે ન આવે તે માટે પ્રશાસન દ્વારા 6 આરોપીઓની જેલ ટ્રાન્સફરની માગણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તોડકાંડનો ભાંડો ફોડનાર બિપિન ત્રિવેદી પણ હાલ યુવરાજસિંહ સાથે જ જેલમાં બંધ છે. જો કે હવે કોર્ટ દ્વારા અરજી નામંજુર કરવામાં આવતા હવે તમામ આરોપીઓ એક જ જેલમાં બંધ રહેશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.