સરકારી ભરતીને લઈ જગદીશ ઠાકોરે કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-07 16:22:29

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ જતા દરેક પાર્ટી પોતાનો પ્રચારમાં વ્યસ્ત બની છે. કોંગ્રેસ ગામે ગામે જઈ પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. એક તરફ દેશમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે તો ગુજરાતમાં કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે અનામત પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર જગદીશ ઠાકોરે ટિપ્પણી કરી હતી. પ્રહાર કરતા તેમણે કહ્યું કે અનામતની વાત થાય છે પણ સરકારી ભરતી થતી જ નથી. એટલે અનામતનો કોઈ અર્થ નથી. 

jagdish Thakor

જગદીશ ઠાકોરે આપી પ્રતિક્રિયા

ભાજપ ઘણા સમયથી પોતાનો પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરી છે. ત્યારે કોંગ્રેસે પણ પ્રચાર કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા કરી પ્રચારની શરૂઆત કરી છે. અનેક દિવસોથી આ યાત્રા નીકળી રહી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત ભાજપ પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે. EWSના નિર્ણયને કોંગ્રેસે આવકાર્યો પરંતુ જગદીશ ઠાકોરે એની સાથે અનેક પ્રશ્નો પણ પૂછ્યા છે. 

અનામતનો આજે કોઈ અર્થ નથી - જગદીશ ઠાકોર

જગદીશ ઠાકોરે સવાલ ઉઠાવતા કહ્યું કે આર્થિક રીતે નબળા લોકો હોય તો તે અનામતનો લાભ  ક્યારે તમે આપી શકો. સરકારના તમામ વિભાગોની મહેકમ મુજબ અને વસ્તીના આધારે મહેકમ વધતું હોય છે. ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સરકારે એરપોર્ટ વહેંચી નાખ્યા. વિશ્વનું સૌથી મોટું નેટવર્ક ધરાવતું રેલવે વેંચી નાખ્યા. બેન્કોને મર્જ કરી નાખી.દેશની નવરત્ન કંપનીઓ કોંગ્રેસની સરકારે બનાવી હતી તે વેચાઈ ગઈ. અનામતની વાત થાય છે પણ સરકારી ભરતી નથી એટલે અનામતનો આજે કોઈ અર્થ નથી. અમે જૂનું મહેકમ ફરી લાવીશું.                            




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!