કોંગ્રેસના જગદીશ ઠાકોરે કહી દીધું, પક્ષપલટુંઓને ટિકિટ નહીં મળે


  • Published By :
  • Published Date : 2022-11-10 19:25:59

ગુજરાત વિધાનસભા ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને રાજકીય પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ભાજપ કોંગ્રેસ અને આપ પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યું છે. જેની વચ્ચે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે ભાજપએ યાદી જાહેર કર્યા પહેલા દિલ્હીમાં બેઠક કરવી પડી હતી. ત્યારબાદ ભાજપની યાદી જાહેર થઈ છે. હવે અમારી યાદી પણ જાહેર કરવામાં આવશે. વધુમાં સિનિયર નેતાઑના ચુંટણી નહિ લડવાના નિવેદન મામલે જગદીશ ઠાકોરે આક્ષેપ સાથે જણાવ્યું કે યાદી જાહેર થયા બાદ નેતાઓ પાસેથી લખાણો લખાવવામાં આવ્યા છે.


પક્ષ પલટુંઓને ટિકિટ નહીં આપીએ: જગદીશ ઠાકોર 

જગદીશ ઠાકોરે કહ્યું હતું કે અમે પક્ષોમાં આવન - જાવન કરતાં લોકોને ટિકિટ નહીં આપીએ. ભાજપમાં ટિકિટ ના મળવાને કારણે નારાજ થયેલા લોકો જો કોંગ્રેસમાં આવશે તો તેમણે પણ નહીં મળે ટિકિટ. ઉલ્લેખનીય છે કે હજી તો ચુંટણી આવી નથી અને કોંગ્રેસના કેટલાય નેતાઓએ પાટલી બદલી નાખી છે. અને કેસરીયો ધારણ કરી લીધો છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે હજુ પણ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરશે 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.