ગુજરાત સરકાર ક્યાંથી ચાલે છે તેનો જવાબ આપ્યો જગદીશ ઠાકોરે? યુવરાજસિંહ વિશે જગદીશ ઠાકોરે કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-04-26 12:51:30

ઘણા સમયથી કોંગ્રેસ એકદમ આક્રામક દેખાઈ રહી છે. અનેક મુદ્દાઓને લઈ સરકાર પર પ્રહાર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જગદીશ ઠાકોરે સરકાર  પર આકરા પ્રહાર કર્યા છે. પોતાના નિવેદનમાં તેમણે મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ પર નિશાન સાધ્યું હતું. તે ઉપરાંત ડમીકાંડ મામલે પણ જગદીશ ઠાકોરે વાત કરી હતી અને યુવરાજસિંહના સમર્થનમાં વાત કરી હતી.

ભાજપ પર જગદીશ ઠાકોરના પ્રહાર!

કોંગ્રેસ દ્વારા અનેક વખત સરકાર પર પ્રહાર કરવામાં આવતા હોય છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ આક્રામક દેખાતી હોય છે. ત્યારે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા છે. મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ પર તેમણે પ્રહાર કર્યા છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સરકાર ગાંધીનગરથી નહીં પરંતુ સુરતથી ચાલે છે. સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ નથી પરંતુ 107 ગુનાનો રેકોર્ડ ધરાવતા સી.આર.પાટીલ રાજ્યના મુખ્યમંત્રી છે. તેમણે એવું જણાવ્યું કે ભાજપના નેતા કોઈપણ ગુનો કરે, બળાત્કાર કરે તો તેમને કોઈ કલમ લાગતી નથી. 


ડમીકાંડ મામલે જગદીશ ઠાકોરે આપ્યું નિવેદન!

જગદીશ ઠાકોરે યુવરાજસિંહને લઈ પણ વાત કરી હતી. ડમીકાંડ મુદ્દે નિવેદન આપતા તેમણે કહ્યું કે ડમીકાંડ જેવા કૌભાંડ ઘણા સમયથી ચાલે છે, કહેવાય છે કે મધ્યપ્રદેશના વ્યાપમ ઘોટાળો કરતા પણ આ વ્યાપર ડમીકાંડ હોય કે પેપર ફૂટવાના બનાવો હોય તે ગુજરાતમાં બની રહ્યા છે. આ ઘોટાળા કેમ બની રહ્યા છે તે સરકાર શોધતી નથી. સરકાર પરથી લોકોનો ભરોસો ઉઠી ગયો છે. આ ભરોસો ઉઠી ગયેલા બેરોજગાર યુવાનોને વાચા આપવાનું કામ આવતા દિવસોમાં કોંગ્રેસ કરશે. સમગ્ર જે કઈ બનાવો બની રહ્યા છે દબાવવાની, ડરાવવાની, ધમકાવવાની સરકારીની નીતિ બની છે, સરકારની સામે કોઈ સવાલ ના કરે, સરકારને કોઈ સવાલ ન કરે, એના ભાગરૂપે સમગ્ર ગુજરાત અને દેશમાં બનાવો બની રહ્યા છે.      



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!