ગુજરાત સરકાર ક્યાંથી ચાલે છે તેનો જવાબ આપ્યો જગદીશ ઠાકોરે? યુવરાજસિંહ વિશે જગદીશ ઠાકોરે કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-04-26 12:51:30

ઘણા સમયથી કોંગ્રેસ એકદમ આક્રામક દેખાઈ રહી છે. અનેક મુદ્દાઓને લઈ સરકાર પર પ્રહાર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જગદીશ ઠાકોરે સરકાર  પર આકરા પ્રહાર કર્યા છે. પોતાના નિવેદનમાં તેમણે મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ પર નિશાન સાધ્યું હતું. તે ઉપરાંત ડમીકાંડ મામલે પણ જગદીશ ઠાકોરે વાત કરી હતી અને યુવરાજસિંહના સમર્થનમાં વાત કરી હતી.

ભાજપ પર જગદીશ ઠાકોરના પ્રહાર!

કોંગ્રેસ દ્વારા અનેક વખત સરકાર પર પ્રહાર કરવામાં આવતા હોય છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ આક્રામક દેખાતી હોય છે. ત્યારે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા છે. મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ પર તેમણે પ્રહાર કર્યા છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સરકાર ગાંધીનગરથી નહીં પરંતુ સુરતથી ચાલે છે. સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ નથી પરંતુ 107 ગુનાનો રેકોર્ડ ધરાવતા સી.આર.પાટીલ રાજ્યના મુખ્યમંત્રી છે. તેમણે એવું જણાવ્યું કે ભાજપના નેતા કોઈપણ ગુનો કરે, બળાત્કાર કરે તો તેમને કોઈ કલમ લાગતી નથી. 


ડમીકાંડ મામલે જગદીશ ઠાકોરે આપ્યું નિવેદન!

જગદીશ ઠાકોરે યુવરાજસિંહને લઈ પણ વાત કરી હતી. ડમીકાંડ મુદ્દે નિવેદન આપતા તેમણે કહ્યું કે ડમીકાંડ જેવા કૌભાંડ ઘણા સમયથી ચાલે છે, કહેવાય છે કે મધ્યપ્રદેશના વ્યાપમ ઘોટાળો કરતા પણ આ વ્યાપર ડમીકાંડ હોય કે પેપર ફૂટવાના બનાવો હોય તે ગુજરાતમાં બની રહ્યા છે. આ ઘોટાળા કેમ બની રહ્યા છે તે સરકાર શોધતી નથી. સરકાર પરથી લોકોનો ભરોસો ઉઠી ગયો છે. આ ભરોસો ઉઠી ગયેલા બેરોજગાર યુવાનોને વાચા આપવાનું કામ આવતા દિવસોમાં કોંગ્રેસ કરશે. સમગ્ર જે કઈ બનાવો બની રહ્યા છે દબાવવાની, ડરાવવાની, ધમકાવવાની સરકારીની નીતિ બની છે, સરકારની સામે કોઈ સવાલ ના કરે, સરકારને કોઈ સવાલ ન કરે, એના ભાગરૂપે સમગ્ર ગુજરાત અને દેશમાં બનાવો બની રહ્યા છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.