ત્રિપુરામાં જગન્નાથ રથયાત્રામાં મોટી દુર્ઘટના, 7 લોકોના મોત, 18 દાઝી ગયા, રથ હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવતા સર્જાઈ કરૂણાંતિકા


  • Published By :
  • Published Date : 2023-06-28 21:56:22

ત્રિપુરામાં રથયાત્રા દરમિયાન બુધવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 7 લોકોના મોત થયા છે અને 18 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં બની છે. રથયાત્રાનો રથના હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવતા આ ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી મુજબ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ઈસ્કોન મંદિરે કાઢી હતી 'ઉલ્ટી રથયાત્રા' 


પ્રાપ્ત માહિતી અનુસાર, ઈસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવી રહેલી 'ઉલ્ટી રથયાત્રા' ઉત્સવ દરમિયાન કુમારઘાટ વિસ્તારમાં સાંજે લગભગ 4:30 વાગ્યે આ ઘટના બની હતી. જગન્નાથ રથયાત્રામાં સામેલ ભક્તો લોખંડના બનેલા રથને ખેંચી રહ્યા હતા. આ દરમિયાન, રથ 133 KV ઓવરહેડ કેબલના સંપર્કમાં આવ્યો હતો. માન્યતાઓ અનુસાર ભગવાન જગન્નાથની રથયાત્રાના એક સપ્તાહ બાદ ત્રિપુરામાં ઉલ્ટી રથયાત્રા નીકળે છે. આમાં ભગવાનનો રથ પાછળથી ખેંચાય છે. ભગવાન જગન્નાથની સાથે ભગવાન બલભદ્ર અને બહેન સુભદ્રા પણ રથ પર સવાર હોય છે.


CM માણિક સાહાએ દુ:ખ વ્યક્ત કર્યું


આ દર્દનાક દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું હતું કે, "આજે કુમારઘાટ ખાતે ઉલ્ટી રથયાત્રા દરમિયાન એક દુ:ખદ ઘટના બની છે, વીજ કરંટ લાગવાથી કેટલાય શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા અને કેટલાક ઘાયલ થયા." આ દુર્ઘટનામાં નજીકના અને પ્રિયજનોને ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!