જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલીઓ વધી, મની લોન્ડરિંગ કેસમાં કોર્ટનું તેડું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 19:58:41

બોલિવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલીઓ વધી રહી છે. કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 215 કરોડ રૂપિયાના ખંડણી કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એક્ટ્રેસને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનું સમન્સ પાઠવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ તપાસ એજન્સીઓએ કોર્ટમાં બીજી સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે આ ચાર્જશીટનું સંજ્ઞાન લઈને આજે જ સુનાવણી માટે અભિનેત્રીને સમન્સ મોકલ્યું હતું.


12 સપ્ટેમ્બરે દિલ્લી પોલીસ કરશે પૂછપરછ


આજે સુનાવણી દરમિયાન દિલ્લી પોલીસ વતી કોર્ટમાં હાજર થયેલા વકીલે કોર્ટને જાણકારી આપી હતી કે દિલ્લી પોલીસે પણ જેક્લિન ફર્નાન્ડિઝને 12 સપ્ટેમ્બરે પૂછપરછ માટે સમન્સ આપ્યા છે. આ પહેલા પાઠવેલા સમન્સમાં તે હાજર રહી ન હતી. જેક્લીનના વકીલે પોલીસને આશ્વાસન આપ્યું હતું કે તે આગામી તારીખે થનારી પુછપરછમાં હાજર રહેશે.


ડોન ચંદ્રશેખર સાથે સંબંધના કારણે ફસાઈ જેક્લિન


ઈડીના જણાવ્યા પ્રમાણે મહાઠગ ચંદ્રશેખરે ખંડણી ઉઘરાવી ભેગા કરેલા કરોડો રૂપિયાની ગીફ્ટ આપી જેક્લિન આપી હતી. ચંદ્રશેખરે જેક્લીનના પરિવારજનોને પણ મોંઘી ભેટ આપી હતી. ED માને છે કે જેક્લિનને શરૂઆતમાં જ ખ્યાલ હતો કે આ કેસમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર ઠગ છે અને તે ખંડણી વસૂલે છે. જેક્લીનના ચંદ્રશેખર સાથેના સંબંધોના કારણે તે ઈડીના રડાર પર છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે