Gujaratમાં ફરી એક વખત જામશે વરસાદી માહોલ, સાંભળો વરસાદને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-23 18:53:22

આપણે ત્યાં કહેવાય છે કે ભાદરવો ભરપૂર... ભાદરવા મહિનામાં વરસાદની સંભાવના જોરદાર રહેતી હોય છે. વરસાદી માહોલ ભરપૂર જામેલો હોય છે. ત્યારે આ વખતે પણ મેઘરાજા ફૂલ બેટિંગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો પરંતુ સપ્ટેમ્બર મહિના દરમિયાન અનેક જિલ્લાઓમાં એટલો ભયંકર વરસાદ થયો કે મહેર કહેરમાં પરિવર્તિત થઈ ગયો. ત્યારે વરસાદને લઈ અંબાલાલ કાકાએ આગાહી કરી છે. સિસ્ટમ સક્રિય થવાને કારણે અનેક જગ્યાઓ પર ફરી એક વખત વરસાદ ધબધબાટી બોલાવશે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે તેવું અનુમાન અંબાલાલ કાકાએ લગાવ્યું છે.

ગુજરાતમાં વરસ્યો છે 100 ટકા વરસાદ

બિપોરજોય વાવાઝોડા બાદ વરસાદની સિસ્ટમ એકદમ અલગ થઈ ગઈ છે. ચોમાસાની સિસ્ટમ જાણે વાવાઝોડાને કારણે બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ રહ્યો પરંતુ જેમ જેમ ઓગસ્ટ મહિનો આવ્યો તેમ તેમ વરસાદ ગુજરાતથી દૂર જતો રહ્યો તેવું લાગ્યું. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત મેઘ મહેર જોવા મળી. ગુજરાતમાં સાર્વત્રિક 100 ટકા વરસાદ નોંધાઈ ગયો છે.  ચોમાસું હવે સમાપ્તિના આરે હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં વરસાદનો બીજો એક રાઉન્ડ જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  


ચોમાસાના વિદાયની થઈ શરૂઆત - અંબાલાલ પટેલ 

અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીને સાચી માનવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે પરંતુ જતા પહેલા વરસાદ અનેક જગ્યાઓ પર વરસી શકે છે. આગામી 24 કલાક પાંચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. કાકાની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર માટે આગાહી કરતા તેમણે કહ્યું કે પવન ફૂંકાશે, તે ઉપરાંત સામાન્ય વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. 


ઓક્ટોબર મહિનામાં આવી શકે છે ચક્રવાત - હવામાન નિષ્ણાત 

અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ગતિવિધિ જોવા મળી રહી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ શકે છે. આ ગતિવિધિ 24થી 25 સપ્ટેમ્બરમાં વધી જશે. જેના કારણે 26થી 29 સપ્ટેમ્બરમાં વરસાદ થશે. ક્યાંક વધારે વરસાદ રહેવાનું અનુમાન છે. આ તારીખો દરમિયાન વરસાદી માહોલ તો રહેશે પંરતુ ઓક્ટોબરમાં ચક્રવાત સક્રિય થવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે. આગાહી મુજબ 2થી 14 ઓક્ટોબરમાં મોટું ચક્રવાત સક્રિય થશે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે અને વરસાદ જ્યારે આવશે ત્યારે હવે ચક્રવાતનો વરસાદ હશે.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!