Gujaratમાં વધશે ઠંડી! જાણો ઠંડીને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-25 11:34:31

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે. તાપમાનનો પારો ગગડતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં આ ઠંડી વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે. મહત્વનું છે કે શિયાળાની શરૂઆત થતાં જ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો હતો. 

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ ગરમીની સાથે માવઠાનું જોર વધશે, એપ્રિલ-મેમાં શું  થશે?

આગામી દિવસોમાં ગગડશે તાપમાનનો પારો 

શિયાળાની શરૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. એવું માનવામાં આવતું હતું કે ફરી એક વખત માવઠાનો માર સહન કરવા ખેડૂતોએ તૈયાર રહેવું પડશે પરંતુ તે આગાહી મહદઅંશે ખોટી સાબિત થઈ. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર! આગામી 48 કલાકમાં ઠૂંઠવાઈ જવાય તેવી ઠંડી પડશે,  જાણો શું છે હવામાન વિભાગની આગાહી | Get ready for the killer cold! It will  be freezing cold

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

અંબાલાલ કાકાની આગાહી મુજબ આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. નવા વર્ષની શરૂઆતમાં નલિયાનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું જઈ શકે છે તેવી આગાહી હવામાન આગાહીકાર દ્વારા કરવામાં આવી છે. ન માત્ર ગુજરાતમાં પણ દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 17.4 ડિગ્રી, ડીસાનું તાપમાન 12.6 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું. સુરતનું તાપમાન 17.6, ભાવનગરનું તાપમાન 16.8 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 18.4 નોંધાયું હતું. 14.4 ડિગ્રી તાપમાનનો પારો રાજકોટનો પહોંચ્યો હતો જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.