મોરબી હોનારતને પગલે, 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક પાળવાનો લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-11-01 08:46:40

મોરબી હોનારતને કારણે સમગ્ર ગુજરાત શોકમાં ડૂબી ગયું છે. બેસતા વર્ષના દિવસે ખુલ્લો મુકાયેલો ઝુલતો બ્રિજ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં તણાઈને મરી ગયા. આ ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. ગાંધીનગર ખાતે પીએમની અધ્યક્ષતામાં હાઈ લેવલ મિટીંગ યોજાઈ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક પાળવામાં આવશે.આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક 

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. તે પહેલા દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન ભાજપનો પ્રચાર કરવા ગુજરાત આવ્યા છે પરંતુ મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે તેમણે પોતાના થોડા કાર્યક્રમો રદ્દ કર્યા હતા. ત્યારે મોરબીમાં બનેલી ઘટનાને પગલે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી હતી. મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના શોકમાં 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે. તેમજ સરકારી કાર્યક્રમો, સત્કાર કાર્યક્રમો યોજાશે નહિ.


મોરબી ઘટનાને લઈ ભાવુક થયા હતા પીએમ મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બપોર બાદ મોરબીની મુલાકાત લેવાના છે. સોમવારે આયોજીત કાર્યક્રમોમાં તેમણે મોરબીમાં બનેલી ઘટના વિશે દુખ વ્યક્ત કર્યું હતું. કેવડિયા તેમજ બનાસકાંઠામાં સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે તેમની સંવેદના મૃતકોના પરિવાર સાથે છે. મન મક્કમ કરી તેઓ આ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.