પ્રજાના પ્રશ્નો મુદ્દે બોલવુ તો છે પણ ભાજપમાં હોદ્દો છે એટલે ચુપ રહેવુ પડે છે શું આ હકીકત છે? જુઓ અંદરની વાતો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-03 13:24:19

સોશિયલ મીડિયા તમે જ્યારે ખોલશો તો તમને તૂટેલા રસ્તા. તૂટેલા બ્રિજ જ દેખાશે.. માત્ર વિસ્તારો બદલાય છે પરંતુ બ્રિજ તૂટવાની પરિસ્થિતિ નથી બદલાતી.  ગુજરાતમાં એવું કોઈ શહેર કે નગર નથી બચ્યું જ્યાં રોડ પર ખાડા ન હોય. ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું માથાનો દુઃખાવો બની ગયું છે. જે અંતર કાપતા અડધો કલાક લાગે ત્યાં હાલ બેથી ત્રણ કલાકનો સમય લાગી રહ્યો છે..કારણ છે ખાડામાં ગુજરાત...હા, એટલા ખાડા કે વાહનો દોડી નથી શક્તા. આવુ અમે રોજ કહી છીએ અને એવું પુછીએ છીએ કે આ પ્રજાના પ્રતિનિધીઓને ખબર નહીં પડતી હોય... દેખાતુ નહીં હોય.. ચિંતા નહીં થતી હોય... તો જવાબ મળ્યો આજે ખબર બધાને છે દરેક હોદ્દેદારને છે પણ ડર છે એમને કે બોલશે તો હકાલપટ્ટી થઈ જશે તો?

વરસાદે મોટા મોટા દાવાઓની પોલ ખોલી! 

વરસાદે તો વિરામ લીધો અને ફરી પાછો શરુ પણ થઈ ગયો... પણ દરેક વરસાદ સરકારના મોટા મોટા દાવાઓની પોલ ખોલે છે...ગુજરાતનું કોઈ શહેર કે ગામ નથી બચ્યું  જ્યાં રોડ પર ખાડા ન હોય. ગુજરાતમાં ખાડાઓએ જે સામ્રાજ્ય જમાવ્યું છે તેનાથી પ્રજા પરેશાન છે. પણ તંત્રને તેની જરા પણ ચિંતા નથી. રાજ્યના કોઈપણ શહેરના કોઈપણ રોડ પર જાવ ત્યાં  તમને ચંદ્રની સપાટી જોવા મળશે... રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, દ્વારકા કોઈપણ વિસ્તારમાં એટલા મોટા ખાડા હશે કે વાહનો ડાન્સ કરતા હશે અને તેના પર બેઠેલા લોકોના મણકા ચીંસો પાડતા હશે... બિસ્માર રસ્તો કાપતા હવે તો કલાકો નીકળી જાય છે.... અમને એવું થાય કે, એક પણ અધિકારી કે વિભાગને આ ખાડાની જરા પણ ચિંતા નથી.



ભ્રષ્ટાચારની બધાને ખબર છે પણ કોઈ બોલતું નથી!

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ જેનાથી ખબર પડી કે ચિંતા તો છે પણ સૌથી મોટી વાત ડર છે... જો બોલે તો નેતાઓ કોર્પોરેટરો, કાર્યકરો ગ્રુપમાં અંદરોઅંદર છુપો આક્રોશ વ્યક્ત કરે.. કેમ કે જાહેરમાં બોલ્યા તો મરાઈ ગયા.... ભયંકર ખાડા, બદ્દતર રસ્તા અને તેમાં ચાલતા ભ્રષ્ટાચારની બધાને ખબર છે પણ જાહેરમાં સ્વીકારતા ડર લાગે છે એટલે અંદરોઅંદર રોષ ઠાલવી દે. જાહેરમાં બોલે તો ફાયર થઈ જાય.... 



બે પોસ્ટ સામે આવી છે જેમાં....

સુરતમાં ભાજપના વોર્ડ ગ્રુપમાં કાર્યકરો અંદરોઅંદર આક્રોશ ઠાલવી રહ્યાં છે. બે પોસ્ટ સામે આવી જેમાંથી એકમાં લખ્યું છે કે, ચુંટણી એટલે જ ચરણમાં થાય છે... પહેલા નેતાઓ તમારા ચરણે અને પછી તમે એટલે કે જનતા તેમના ચરણે... તો બીજો કાર્યકર લખી રહ્યો છે કે,આપણને ગધેડા સમજે છે, કામ કરે એને વોટ આપજો.... તો એ જ ગ્રુપમાં કોઈએ ફોટા પણ મુક્યા છે જ્યાં ભયંકર ખાડા પડ્યા છે.. નીચે એનું લોકેશન પણ લખ્યું છે કે, આ બધા ફોટા એલપી સવાણી સ્કૂલથી વિરસાવરકર સર્કલ સુધીના છે... 



સત્તા મેળવવા ચૂપ રહેવું પડે છે? 

આ પ્રજાલક્ષી પ્રશ્નો છે પણ જાહેરમાં ચર્ચા કોણ કરે... બીજો એક ફોટો એમની ચેટનો આવ્યો જેમાં લખ્યું છે કે, વોર્ડ સંગઠનની ટીમ ક્યાં છે. માત્ર ચૂંટણીમાં પ્રજા પાસે વોટ માંગવા જ જવાનું અમારે આ બાબતે કેમ કોઈ બહાર નથી આવતું... કોઈ ચું કે ચા કેમ નથી કરતું... અને એ પોસ્ટના નીચે એક સરસ મજાનું સિમ્બોલ છે જે દર્શાવે છે મૌન રહેવાનું... અર્થાત બોલશો તો હક્કાલપટ્ટી પાકી.. જો સત્તા જોઈતી હોય તો ચુપ રહેવું પડે... પણ અમે તો કહીએ છીએ કે એક વખત બધાએ હિંમત કરીને કોર્પોરેટર, ધારાસભ્યો, સાંસદો પાસે જવુ જોઈએ. આ હાલત તો બધા શહેરોની છે. જાગી જાવ હજૂ. બદલાવ આવે કે ન આવે પણ જનતા તરીકે સારુ લાગશે.... ક્યાં સુધી ચુપ રહેશો... 




નાગરિકો ક્યાં સુધી ચૂર રહેશે?

શું આપણને એ પણ ખબર નથી ? કે આપણે ખુદ આપણા પગ પર જ કુહાડો મારીએ છીએ !!શું પીંજરા સાથે પક્ષી નો એટલો બધો લગાવ કે તાદાત્મ્ય સધાય ગયેલ છે કે એ પક્ષીને ખુલ્લા આકાશમાં ઉડાડી દેવા છતાં તે ફરીથી પીંજરામાં પુરાઈ જવા વારંવાર પરત આવે છે ? પિંજરામાં રહેતો માણસ હવે  પીંજરામાં જીવવા એક્સપર્ટ બની ગયો. એના વખાણ-સન્માન- કદર પણ પિંજરામાં રહેવાના  અનુભવી લોકો જ કરશે. પીએચડી ની પદવીઓ પણ આપશે.. કોણ આપશે ? પિંજરા વાસીઓ જ આપશે . આવા સન્માન થી હવે તે જીવ કદી પિંજરું છોડશે નહિ.. એ નારા લગાવશે કે ગર્વસે કહો હમ ગોલ્ડન પિંજરે મૈં હૈ !!..પણ હવે એડજસ્ટ થવાનું છોડી દો... સોનાનું કે રુપાનુ.. પિંજરું તે પિંજરું.. ભલે હિરલે જડેલ.. ભલે મોતી થી મઢેલ .. પણ ઈ.. પિંજરું તે પિંજરું..... સુધરવાની ઉત્ક્રાંતિ અને અલ્ટીમેટ ફ્રીડમ નું સત્ય જાણવાની તક માત્ર મનુષ્ય જીવનમાં છે.... આપણે કહીએ છીએ કે ભ્રષ્ટાચાર છાપરે ચઢીને પોકારે છે... તો એને છાપરે ચઢવાની સીડી કોણે આપી.... 




જો હમણાં નહીં બોલીએ તો ઘણું મોડું થઈ જશે!

ભ્રષ્ટાચારીઓને રાજકારણમાંથી હાંકી કાઢવામાં આવે અને દેશહિત-લોકહિત વિચારતા નેતાઓ ભારતના રાજકારણમાં આવે. પરંતુ સવાલ એ છે કે રાજકારણમાંથી જે ભ્રષ્ટાચારીઓને હાંકી કાઢવાની વાતો થઇ રહી છે, એ ભ્રષ્ટાચારી નેતાઓ આવ્યા છે ક્યાંથી?! નેતા નામની આ પ્રજાતિ કંઇ લેબોરેટરીમાં ઉત્પન્ન થયેલી નથી. એ લોકો આપણી જ વચ્ચેથી આવ્યા છે ને! આપણે જ એમને ચૂંટીને મોકલ્યા છે. એ લોકો આપણું જ પ્રતિનિધિત્વ કરે છે અને માટે એ આપણું જ પ્રતિબિંબ પાડે છે. એક સમાજ તરીકે, દેશની જનતા તરીકે સ્વીકારવા જેવી બાબત એ છે કે આપણું રાજકારણ ભ્રષ્ટાચારીઓથી ખદબદે છે કારણ કે એમને ચૂંટનારા આપણે પણ એટલા જ ભ્રષ્ટ છીએ. 




માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.