AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામને મેંદરડા પોલીસે પાઠવ્યું સમન્સ, સમગ્ર મામલો શું છે, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-09 18:42:00

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. પાર્ટીના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરો પક્ષનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આપના ગુજરાત એકમના ટોચના નેતાઓ સામે એક યા બીજી રીતે કાનુની કાર્યવાહીઓ ચાલી રહી છે. જો  કે હવે તેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામનો સમાવેશ થયો છે.  ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામને મેંદરડા પોલીસે સમન્સ પાઠવ્યું છે.

 

જનસંવેદના સભા બદલ સમન્સ


આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામની મુશ્કેલી વધી છે. આપ ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામને મેંદરડા પોલીસે સમન્સ પાઠવ્યું છે. 2જી જુલાઈ 2021ના રોજ યોજેલી જનસંવેદના સભા બદલ સમન્સ પાઠવવામાં આવ્યું છે. તાલાલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અંગે હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. બંને વિરુદ્ધ આઈપીસી કલમ269,188 હેઠળ ફરિયાદ નોંધાઇ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51(બી) અને જી.પી એક્ટ કલમ 135(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


અત્રે ઉલ્લેખનિય છે કે ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત રાજ્યમાં  ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારો જીત્યા હતા. આપના દિગ્ગજ નેતાઓ ઈસુદાન ગઢવી, અલ્પેશ કથીરિયા, ગોપાલ ઈટાલિયાની હાર થઈ હતી.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.