ગૌ માતાને લઈ ઈસુદાનનો ભાજપ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 14:13:25

ગુજરાતમાં હાલ ગાયને લઈ રાજકારણ ગરમાયું છે. વિધાનસભા સત્રમાં પાંજરાપોળ તેમજ ગૌ-સંચાલકો માટે 500 કરોડની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સહાયની જાહેરાત બાદ પણ રૂપિયા ના મળતા પશુપાલકો રોષે ભરાયા છે. સરકારને 23 સપ્ટેમ્બર સુધીની ટાઈમ લીમીટ આપી હતી પરંતુ તે બાદ પણ સહાય ન મળતા ગાયોને રસ્તા પર છુટ્ટી મૂકી દઈ વિરોધ નોંધાવ્યો હતો.


ઈસુદાન ગઢવીએ ભાજપ પર ઉઠાવ્યા સવાલ

પશુપાલકોને સહાય આપવા માટે સરકારે 500 કરોડ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હજી સુધી સહાય ન મળતા પાંજરાપોળ અને ગૌ-રક્ષકોએ પોતાની ગાયોને છોડી વિરોધ નોંધાવ્યો હતો. હજારોની સંખ્યામાં ગાયો આવતા રસ્તા પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. આ ઘટના પર ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ઈસુદાન ગઢવીએ ગૌ માતાના નામે વોટ માંગનાર ભાજપ હકીકતમાં હિન્દુ વિરોધી છે. ગૌ માતા માટે અવાજ ઉઠાવનાર સાધુ સંતો અને પશુપાલકોની ભાજપએ ધરપકડ કરી છે.

 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.