ઈસુદાન ગઢવીએ TET-TAT મુદ્દે સરકારને ઘેરી, કરાર આધારીત ભરતીને આ યોજના સાથે સરખાવી, સાંભળો શું કહ્યું તેમણે


  • Published By :
  • Published Date : 2023-07-13 12:04:30

છેલ્લા ઘણા સમયથી TET-TAT ઉમેદવારો કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી કરવાના સરકારના નિર્ણયનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અનેક ઉમેદવારો સરકારી નોકરીની આશા લઈને બેઠા છે. પહેલા તો અનેક વર્ષો સુધી TET-TATની પરીક્ષા લેવામાં આવી ન હતી. આ વખતે લેવાઈ પરંતુ અલગ ફોર્મેટમાં. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે પહેલા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે જ્ઞાન સહાયક તરીકે ઉમેદવારોની નિમણૂંક કરવામાં આવશે. કરાર આધારીત નોકરી આપવામાં આવશે. આ વાતનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે, ત્યારે ઉમેદવારોના સમર્થનમાં આવી ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવીએ TET-TAT પરીક્ષાને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

કાયમી ભરતી કરવા માટે ઉમેદવારો કરી રહ્યા છે માગ 

કોન્ટ્રાક્ટ પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે તે વાતનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારી નોકરી મેળવવા માટે તેમણે મહેનત કરી હોય છે, કોન્ટ્રાક્ટ આધારિત નોકરી મેળવવા માટે મહેનત નથી કરી તેવી વાત ઉમેદવારોએ જણાવી જ્યારે જમાવટની ટીમે તેમની સાથે વાત કરી હતી. ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઈસુદાન ગઢવીએ પણ TET-TAT મુદ્દે સરકારને ઘેરી છે. અનેક મુદ્દા પર આપના પ્રદેશ અધ્યક્ષે સરકાર પર પ્રહાર કર્યા છે. 


નોકરી માટે યુવાનોને જોવી પડે છે રાહ - ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ TET-TAT પરીક્ષા અંગે નિવેદન આપતા કહ્યું કે વર્ષોથી TET-TATની પરીક્ષા આપીને લાખો વિદ્યાર્થીઓ એક સપનું જોઈને બેઠા હતા કે તેમને સરકારી નોકરી મળશે. પરંતુ ભાજપ અગ્નિવરની જેમ શિક્ષણ વીર લાવીને યુવાનોનું શોષણ કરવા જઈ રહી છે. આ વાત ગુજરાતના યુવાનો જ કહી રહ્યા છે. બે પરીક્ષા આપ્યા બાદ પણ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા હતા પરંતુ ભાજપે જ્ઞાન સહાયકના નામે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાનું નક્કી કર્યું છે. ઘણા માતા પિતાઓ અને યુવાનો અમને કહી રહ્યા છે કે ભાજપને વોટ આપીને તેમણે ભૂલ કરી છે. મહત્વનું છે કે અનેક મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.