ઈસુદાન ગઢવીએ TET-TAT મુદ્દે સરકારને ઘેરી, કરાર આધારીત ભરતીને આ યોજના સાથે સરખાવી, સાંભળો શું કહ્યું તેમણે


  • Published By :
  • Published Date : 2023-07-13 12:04:30

છેલ્લા ઘણા સમયથી TET-TAT ઉમેદવારો કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી કરવાના સરકારના નિર્ણયનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અનેક ઉમેદવારો સરકારી નોકરીની આશા લઈને બેઠા છે. પહેલા તો અનેક વર્ષો સુધી TET-TATની પરીક્ષા લેવામાં આવી ન હતી. આ વખતે લેવાઈ પરંતુ અલગ ફોર્મેટમાં. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે પહેલા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે જ્ઞાન સહાયક તરીકે ઉમેદવારોની નિમણૂંક કરવામાં આવશે. કરાર આધારીત નોકરી આપવામાં આવશે. આ વાતનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે, ત્યારે ઉમેદવારોના સમર્થનમાં આવી ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવીએ TET-TAT પરીક્ષાને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

કાયમી ભરતી કરવા માટે ઉમેદવારો કરી રહ્યા છે માગ 

કોન્ટ્રાક્ટ પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે તે વાતનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારી નોકરી મેળવવા માટે તેમણે મહેનત કરી હોય છે, કોન્ટ્રાક્ટ આધારિત નોકરી મેળવવા માટે મહેનત નથી કરી તેવી વાત ઉમેદવારોએ જણાવી જ્યારે જમાવટની ટીમે તેમની સાથે વાત કરી હતી. ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઈસુદાન ગઢવીએ પણ TET-TAT મુદ્દે સરકારને ઘેરી છે. અનેક મુદ્દા પર આપના પ્રદેશ અધ્યક્ષે સરકાર પર પ્રહાર કર્યા છે. 


નોકરી માટે યુવાનોને જોવી પડે છે રાહ - ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ TET-TAT પરીક્ષા અંગે નિવેદન આપતા કહ્યું કે વર્ષોથી TET-TATની પરીક્ષા આપીને લાખો વિદ્યાર્થીઓ એક સપનું જોઈને બેઠા હતા કે તેમને સરકારી નોકરી મળશે. પરંતુ ભાજપ અગ્નિવરની જેમ શિક્ષણ વીર લાવીને યુવાનોનું શોષણ કરવા જઈ રહી છે. આ વાત ગુજરાતના યુવાનો જ કહી રહ્યા છે. બે પરીક્ષા આપ્યા બાદ પણ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા હતા પરંતુ ભાજપે જ્ઞાન સહાયકના નામે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાનું નક્કી કર્યું છે. ઘણા માતા પિતાઓ અને યુવાનો અમને કહી રહ્યા છે કે ભાજપને વોટ આપીને તેમણે ભૂલ કરી છે. મહત્વનું છે કે અનેક મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!