રાજ્યમાં શિક્ષણની કફોડી સ્થિતિ અંગે ઇસુદાન ગઢવીના સરકાર પર આકરા પ્રહાર, રાજ્ય સરકાર પર લગાવ્યા આ ગંભીર આરોપ


  • Published By :
  • Published Date : 2023-06-26 16:04:56

રાજ્યના છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણની સ્થિતીને અંગે IAS ડૉ. ધવલ પટેલના રિપોર્ટથી રાજકારણ ગરમાયું છે.જમાવટે સૌપ્રથમ વખત ગઈ કાલે ડૉ. ધવલ પટેલના આ રિપોર્ટ અંગે વીડિયોના માધ્યમથી સત્ય રજુ કરતા રાજ્યના વહીવટી તંત્રમાં હાહાકાર મચી ગયો છે.  હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ ટ્વિટ કરી રાજ્ય સરકાર પર સવાલોનો મારો ચલાવ્યો છે. તેમણે કહ્યું, એક IAS ઓફિસરે પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, છોટાઉદેપુર અને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓમાં ભણતરની સ્થિતી ખૂબ જ દયનીય છે. ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં પણ સરકારી શાળાઓ પણ બદત સ્થિતિમાં છે. જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર હશે, ત્યાં સુધી શિક્ષણની આવી સ્થિતિ આવી જ રહેશે.


પ્રાથમિક શાળાઓમાં ભણતરની સ્થિતી દયનીય


આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ બાબત પર વાત કરતા જણાવ્યું કે, "એક IAS ઓફિસરે હિંમત કરીને એક પત્ર લખ્યો છે. એમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, છોટાઉદેપુરની પ્રાથમિક શાળાઓમાં ભણતરની સ્થિતી ખૂબ જ દયનીય છે. આદિવાસી સમાજના બાળકોને આપણે શું આપી રહ્યા છીએ? આદિવાસી સમાજના બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે. મારે એક વાત એમ પણ જોડવી છે કે ફક્ત છોટાઉદેપુરમાં જ નહીં પરંતુ આખા આદિવાસી વિસ્તારમાં આવી જ સ્થિતિ છે. આખા આદિવાસી વિસ્તારમાં કોઈ શાળા સારી નથી. 


આદિવાસી સમાજ વિરુદ્ધ ભાજપે ષડયંત્ર?


ઈસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે આદિવાસી સમાજના બાળકો ભણે નહીં તો કાયમી મજૂર રહે તે માટે આદિવાસી સમાજ વિરુદ્ધ ભાજપે ષડયંત્ર રચ્યું છે  શિક્ષણની સ્થિતી અંગે તેમણે ભાજપના 28 વર્ષના શાસનને જવાબદાર ઠરાવ્યું હતું. ભાજપની સરકાર છે અને ભાજપની સરકારમાં આદિવાસી સમાજના મંત્રીઓ પણ છે. મંત્રીઓ કદાચ માલામાલ થઈ ગયા હશે, પરંતુ આદિવાસી સમાજના દીકરાઓ અને દીકરીઓ કાયમી અભણ રહે છે, એટલા માટે તેઓ મજૂરી કરે છે. આમ જોવા જઈએ તો આખા ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ આવી જ છે. પ્રાઇવેટ શાળાઓને પ્રોત્સાહન આપવા માટે અને ઘણા ભાજપના નેતાઓની પ્રાઇવેટ શાળાઓમાં વધારે ફી આપીને લોકો પોતાના બાળકોને ભણાવવામાં મજબૂર થાય તે માટેનું ષડયંત્ર મને લાગી રહ્યું છે. એના કારણે સરકારી શાળાઓમાં શિક્ષકોની ખૂબ જ ઘટ્ટ છે અને શિક્ષકોની ભરતી જ નથી કરવામાં આવતી. મોટાભાગની શિક્ષણ વ્યવસ્થા કથડેલી છે. 


પ્રાઇવેટ શાળાઓને પ્રોત્સાહન


આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જનતાને પણ સવાલ કરતા કહ્યું કે "હું જનતાને કહેવા માંગીશ કે કદાચ તમે ભાજપના કાર્યકર્તા હશો અથવા તો તમારા ઘરે ભાજપના નેતાઓ વોટ માંગવા આવશે, વિધાનસભામાં તમે 156 સીટો ભાજપને આપી, આટલા બધા પેપર ફૂટ્યા, શિક્ષણ વ્યવસ્થા તળિયે કરી દીધી અને ફી પણ મોંઘી કરી દીધી અને ત્યારબાદ પણ ગુજરાતની જનતાએ ભાજપને 156 સીટો આપી. એટલા માટે એ લોકોને લાગી રહ્યું છે કે જેટલી સરકારી શાળાઓને બંધ કરીને પ્રાઇવેટ શાળાઓને પ્રોત્સાહન આપીશું અને જેટલું લૂંટીશું એમ વધારે સીટો મળે છે."


શિક્ષકોની ભરતી કરો અને સારી શાળાઓ તૈયાર કરો


ઈસુદાન ગઢવીએ સરકારને વિનંતી કરતા કહ્યું કે "ગુજરાત સરકારને અને શિક્ષણ મંત્રીને કે તાત્કાલિક શિક્ષકોની ભરતી કરો અને તાત્કાલિક સારી શાળાઓ તૈયાર કરો. અને ગુજરાતની જનતાને મારી એટલી જ અપીલ છે કે જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર હશે, ત્યાં સુધી આવી સ્થિતિ બની રહેશે અને એનાથી પણ બદતર સ્થિતિ થશે અને ભાવી પેઢી અંધકારમય થઈ જશે. જો એક ઘરનો એક વ્યક્તિ પીએસઆઇ, એસપી કે કલેક્ટર બની જશે, તો આખો પરિવાર અને સમાજ ગર્વ કરશે અને તેના પાટે ચડશે. એટલા માટે બાળકોને અભણ રાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તો આનાથી આપણે કેટલાય વર્ષો પાછળ જતા રહીશું. માટે આજે આપણે સૌએ જાગવાની જરૂરત છે."



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!