ISROએ સફળતા પૂર્વક લોન્ચ કર્યું આદિત્ય-એલ 1, સાંભળો ઈસરોના વૈજ્ઞાનિકોએ શું કહ્યું Aditya L1 લોન્ચ થયા પછી?


  • Published By :
  • Published Date : 2023-09-02 18:20:57

થોડા દિવસોની અંદર જ ભારતે બીજી સફળતા હાંસલ કરી છે. 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3એ સોફ્ટ લોન્ચિંગ કર્યું હતું અને આજે સૂર્ય વિશે માહિતી મેળવવા માટે આદિત્ય એલ-1 મિશન લોન્ચ કરાયું છે. સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટાથી PSLV XL રોકેટની મદદથી આદિત્ય એલ-1ને લોન્ચ કરવામાં આવ્યું હતું. સૂર્યનું પરિક્ષણ કરવા માટે આ મિશન ઘણું મહત્વનું માનવામાં આવે છે. 15 લાખ કિલોમીટરનું અંતર કાપી સૂર્યયાન સૂર્યના લૈંગ્રેંજિયન-1 પોઈન્ટ પર પહોંચશે. અને અહીંયા સુધી પહોંચવા માટે આદિત્ય એલ-1ને 125 દિવસ લાગશે. 

મિશન લોન્ચ થયા બાદ છલકાઈ વૈજ્ઞાનિકોની ખુશી 

આદિત્ય એલ-1ના લોન્ચ થયા પછી મિશન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ મિશનના નિર્દેશક નિગાર શાજીએ કહ્યું હતું કે આ સપનું સાકાર થવા જેવું છે. મને બેહદ ખુશી છે કે આદિત્ય એલ-1ને પીએસએલવી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આદિત્ય એલ-1એ પોતાની 125 દિવસની યાત્રા શરૂ કરી દીધી છે. એકવાર આદિત્ય L-1 કાર્યરત થઈ જાય, તે દેશ અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય માટે એક મોટી સફળતા હશે. હું આ મિશનને શક્ય બનાવવા માટે તેમના સમર્થન અને માર્ગદર્શન માટે સમગ્ર ટીમનો આભાર માનું છું.


કેવી રીતે આદિત્ય એલ-1 પહોંચશે સૂર્ય સુધી? 

લોન્ચ થયાના 63 મિનીટ 19 સેકેન્ડ બાદ રોકેટે આદિત્ય એલ-1ને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં છોડ્યું હતું. એક અનુમાન પ્રમામણે આદિત્યયાન 4 મહિના પછી લેગ્રેન્જ પોઈન્ટ એટલે કે એલ-1 પોઈન્ટ પર પહોંચશે. સૂર્યના અભ્યાસ માટે આ પોઈન્ટ એટલા માટે સિલેક્ટ કરવામાં છે કારણ કે આ પોઈન્ટ પર ગ્રહણની અસર નથી થતી. સુર્યયાન 16 દિવસ સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેશે અને પાંચ વખત ફાયરિંગ થ્રસ્ટર્સ દ્વારા તેને ફાયરિંગ કરવામાં આવશે અને તે ભ્રમણકક્ષા વધારશે  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.