ISROને મળી મોટી સફળતા, શ્રીહરિકોટાથી લોન્ચ કર્યું PSLV-C54 રોકેટ


  • Published By :
  • Published Date : 2022-11-26 13:50:14

છેલ્લા ઘણા સમયથી ભારત અવકાશ ક્ષેત્રે ઘણી સફળતા મેળવી રહ્યું છે. ત્યારે ISROએ આજે સવારે 11.56 વાગ્યે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઓશનસેટ-3 સેટેલાઈટ લોન્ચ કર્યું છે. આ સેટેલાઈટમાં ભૂટાનના સેટેલાઈટની સાથે 8 નેનો સેટેલાઈટ પણ લોન્ચ કરવામાં આવ્યા છે.

  

દરિયાઈ હવામાનની આગાહી કરી શકાશે

આ સેટેલાઈટથી મહાસાગરોમાં થતા ફેરફાર થતા તેમજ વાવાઝોડા પર નજર રાખી શકાશે. ઉપરાંત આ ઉપગ્રહથી દરિયાઈ હવામાનની આગાહી પણ કરી શકાશે. આ 8 સેટેલાઈટને પીએસએલવી-સી 54 દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને ઈસરોના મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાનો એક માનવામાં આવે છે. ઈસરોના વૈજ્ઞાનિકો આ પ્રોજેક્ટને સૌથી લાંબો ચાલનારું મિશન માની રહ્યા છે. ઓશનસેટ-3ને ધરતીથી 742 કિલોમીટર દુર લોન્ચ કરી દેવામાં આવશે. આને લોન્ચ કર્યા બાદ રોકેટ ફરી પાછી આવશે અને તે બાદ બાકી રહેલા ઉપગ્રહોને લોન્ચ કરશે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.