ઈઝરાયેલમાં સરકાર જ સર્વ સત્તાધીશ, નેતન્યાહુ સરકારે સુપ્રીમ કોર્ટની સત્તા પર કાતર ચલાવી, દેશભરમાં વિરોધ પ્રદર્શનો


  • Published By :
  • Published Date : 2023-07-25 17:48:27

ઈઝરાયેલની સંસદે સોમવારે એક વિવાદાસ્પદ કાયદાને મંજૂરી આપી દીધી છે. દેશની ન્યાય પ્રણાલીને ફરીથી આકાર આપવાની નેતન્યાહુની યોજનાનો આ એક મહત્વપૂર્ણ ભાગ હોવાનું કહેવાય છે. સંસદમાં બિલની તરફેણમાં 64 વોટ પડ્યા જ્યારે વિરોધમાં શૂન્ય. વિરોધ વ્યક્ત કરતા વિપક્ષે મત વિભાજનનો બહિષ્કાર કર્યો છે. આ વિધેયક સરકારના ન્યાયિક સુધારામાં પસાર કરવામાં આવેલ મુખ્ય બિલ છે. બિલમાં સુધારાની માંગણી કરવામાં આવી હતી અને વિપક્ષો સાથે વ્યાપક પ્રક્રિયાગત સમજૂતીની વાત કરવામાં આવી હતી. પરંતુ આ બંનેને લઈને સંસદમાં છેલ્લી ઘડીના પ્રયાસો પણ નિષ્ફળ ગયા હતા. કાયદાને નરમ કરવા માટે રજૂ કરાયેલા વિચારોની ચર્ચા પીએમ નેતન્યાહુ અને ગઠબંધનના મુખ્ય નેતાઓ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ બધા અનિર્ણિત રહ્યા હતા. લગભગ 30 કલાક સુધી ચર્ચા ચાલી હતી. જેની શરૂઆત રવિવારે સવારે થઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, હવે બિલના પહેલા ભાગને મંજૂરી મળી ગઈ છે. મોટા ઉદ્યોગો અને યુનિયનો હડતાલ અને બંધનું આયોજન કરી રહ્યા છે. ઇઝરાયલના રાષ્ટ્રીય વિરોધ આંદોલનકારો દેશની એકતામાં ભંગાણ, સૈન્ય અને અર્થવ્યવસ્થાના પતન માટે નેતન્યાહુને જવાબદાર ઠેરવ્યા હતા.


શા માટે થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શનો?


કોઈપણ લોકશાહીના ત્રણ મહત્વના સ્તંભ હોય છે. કારોબારી, ન્યાયતંત્ર અને ધારાસભા. લોકશાહીમાં સમસ્યા ત્યારે આવે છે જ્યારે લોકોનો કારોબારીમાંથી વિશ્વાસ ઉઠી જાય છે. આ સમયે ઈઝરાયેલમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં કાર્યપાલિકા બાકીના બે સ્તંભોની શક્તિ ઘટાડીને તેની શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહી છે. નેતન્યાહુ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરે છે. તે ઘણી વખત કોર્ટમાં પણ હાજર થયો હતો. તેઓ નવેમ્બર 2022માં ફરી એકવાર પીએમ બન્યા. ત્યારથી, તેમના પ્રયાસો દેશની ન્યાયિક વ્યવસ્થાને નબળી બનાવવાના છે. આશ્ચર્યજનક રીતે, નેતન્યાહુ અને તેમના દૂર-જમણે સાથીઓએ સત્તામાં પાછા ફર્યાના થોડા દિવસો પછી જાન્યુઆરીમાં આ યોજનાની જાહેરાત કરી હતી. આની પાછળ, તેમણે દાવો કર્યો કે બિલની જરૂર છે જેથી બિનચૂંટાયેલા ન્યાયાધીશોને મળેલી વધુ પડતી સત્તાઓ પર અંકુશ લાવી શકાય. તેનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે આનાથી દેશમાં સત્તા સંતુલનની વ્યવસ્થા ખોરવાઈ જશે. દેશ નિરંકુશ શાસન તરફ આગળ વધશે. મહિનાઓથી ચાલી રહેલા આ દેખાવોમાં હજુ વધારો થવાની ધારણા છે.


લોકો રસ્તા પર આવ્યા


કાયદાકીય પરિવર્તનનો વિરોધ કરી રહેલા લોકોએ લોકશાહી કે બળવાના નારા લગાવ્યા. તેમણે કહ્યું હતું કે ઈઝરાયલમાં સરમુખત્યારશાહી નહીં ચાલે. આ દરમિયાન અનેક પત્રકારો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. દેખાવકારોએ મુખ્ય બેગુઈન હાઈવે બ્લોક કરી દીધો હતો. નેતન્યાહુની સરમુખત્યારશાહીનો વિરોધ કરવા માટે કેટલાક વિરોધીઓ ઉત્તર કોરિયાનો ધ્વજ લઈને જતા જોવા મળ્યા હતા. પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.


કાયદામાં શું છે વિવાદાસ્પદ જોગવાઈ?


આ વિવાદાસ્પદ કાયદાની જોગવાઈઓ મુજબ, અદાલતોને કેબિનેટ અને મંત્રીઓના નિર્ણયોની તર્કસંગતતા પર કોઈ પણ પ્રકારની તપાસ કરવા પર પ્રતિબંધ છે. સરકારના નિર્ણયોને અન્યાયી જાહેર કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસેથી છીનવી લેવામાં આવી છે. કોર્ટના નિર્ણયોને સંસદમાં બહુમતી દ્વારા રદ કરી શકાય છે. જ્યારે કોર્ટ પાસે મહત્વની સત્તા એ હતી કે દેશની સરકારને નિરંકુશ બનતી અટકાવી શકાય. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે ઈઝરાયેલનું બંધારણ લખાયેલું નથી. જેના કારણે સરકાર ઇચ્છે તેમ કાયદાઓ સાથે રમી શકે છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ સહિત તમામ કોર્ટમાં જજોની નિમણૂકમાં સરકારનો નિર્ણય આખરી રહેશે. ન્યાયાધીશોની નિમણૂક માટેની સમિતિમાં સરકારનું પ્રતિનિધિત્વ વધશે. મંત્રીઓ માટે કાયદાકીય સલાહકારોની સલાહનું પાલન કરવું જરૂરી રહેશે નહીં, જ્યારે કાયદા અનુસાર, તેઓએ સલાહનું પાલન કરવું પડશે. અગાઉ, સરકાર દ્વારા જારી કરાયેલા પ્રસ્તાવિત ફેરફારોમાંથી એક કાયદો બની ગયો હતો. જે અંતર્ગત એટર્ની જનરલનો અધિકાર રદ કરવામાં આવ્યો છે, જેમાં એટર્ની જનરલ શાસક વડાપ્રધાનને ગેરલાયક ઠેરવી શકે છે.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.