ઈઝરાયેલમાં લોકશાહીની રક્ષા માટે લોકો માર્ગો પર ઉતર્યા, PM નેતન્યાહુ સામે પ્રચંડ લોકજુવાળ


  • Published By :
  • Published Date : 2023-03-27 20:32:08

ઈઝરાયેલના શહેર તેલ અવીવમાં રવિવાર રાતથી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ મોટા પાયે પ્રદર્શનો ચાલી રહ્યા છે. નેતન્યાહુએ તેમના સંરક્ષણ પ્રધાન યોવ ગૈલેંટને હટાવી દીધા છે અને ત્યારથી લોકોમાં નારાજગી છે. તેઓએ ફરી એકવાર પીએમ સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. નેતન્યાહુ દ્વારા બરતરફ કરાયેલા સંરક્ષણ પ્રધાન ન્યાયિક પ્રણાલીમાં સુધારાની વિરુદ્ધ હતા. લોકોના હાથમાં ઈઝરાયેલના ઝંડા હતા અને તેઓ 'લોકશાહી'ના નારા લગાવી રહ્યા હતા. દેખાવકારોએ આયલોન હાઇવે સહિત રસ્તાઓ અને પુલ બ્લોક કરી દીધા હતા.


રક્ષા મંત્રીએ નવા કાયદાનો કર્યો વિરોધ 

 

જેરુસલેમમાં પોલીસ અને સૈનિકોએ વિરોધ કરનારાઓ સામે પાણીની તોપોનો પણ ઉપયોગ કર્યો હતો. આ પ્રદર્શનકારીઓ પીએમ નેતન્યાહુના ઘર પાસે પ્રદર્શન કરી રહ્યા છે. નવા પ્રસ્તાવિત કાયદાને લઈને એક સપ્તાહમાં અનેક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નેતન્યાહુ દ્વારા આયોજિત સુધારા હેઠળ, ન્યાયાધીશોની નિમણૂક કરતી સમિતિ પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. આ પછી, કોર્ટ માટે એવા નેતાને હટાવવાનું મુશ્કેલ બનશે જે તેના પદ માટે યોગ્ય નથી. આ કારણે અનેક લોકો નારાજ થયા છે. પીએમ નેતન્યાહુ પર હાલ ભ્રષ્ટાચારના ઘણા કેસ ચાલી રહ્યા છે.


'નેતન્યાહુએ તમામ મર્યાદા ઓળંગી'


ઘણા ઇઝરાયેલી વિરોધ પ્રદર્શકો ધ્વજ લહેરાવતા અને થાળી વગાડતા નેતન્યાહુના ઘરની બહાર જોવા મળ્યા હતા. આ પછી, તે પોલીસ ફોર્સની સુરક્ષા હેઠળ ઇઝરાયેલની સંસદ નેસેટ પહોંચ્યા હતા. દેશના રાજકીય વિષ્લેષકોનું માનવું છે કે લોકતાંત્રિક દેશના પીએમ તરીકે નેતન્યાહુએ તમામ મર્યાદા ઓળંગી છે. વિરોધમાં સામેલ એક સરકારી કર્મચારીએ કહ્યું, 'અમે અમારી લોકશાહીના છેલ્લી દીવાલની સુરક્ષા કરી રહ્યા છીએ અને અમે આ રીતે સૂઈ શકીએ નહીં. આપણે આ ગાંડપણને રોકવું પડશે અને તો જ આપણે કંઈક કરી શકીશું.'



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.