ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધ દરમિયાન ઈરાને કર્યો આ મોટો દાવો, જંગમાં ઝંપલાવવાની પણ આપી ચિમકી


  • Published By :
  • Published Date : 2023-10-16 22:27:10

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લોહિયાળ જંગ હજુ કેટલા દિવસ ચાલશે તે અંગે કોઈ સ્પષ્ટપણે કહી શકે તેમ નથી. ઈઝરાયેલની સરકાર હમાસના કબજામાં રહેલા તેના નાગરિકોને મુક્ત કરાવવા માટે હવે જમીન માર્ગે પણ ગાઝામાં ઘુસવાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે આ યુધ્ધ હજુ લાંબુ ચાલશે તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે આ દરમિયાન હમાસના મિત્ર દેશ ઈરાને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે જો ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા બંધ કરી દેશે તો હમાશ અપહરણ કરવામાં આવેલા તમામ 200 ઈઝરાયેલી નાગરિતોને છોડવા માટે તૈયાર છે. 


ઈરાને યુધ્ધમાં ઝંપલાવવાની આપી ધમકી


ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ દાવો કરતા કહ્યું કે ઈઝરાયેલના નાગરિકોને છોડવા માટે હમાસ તૈયાર છે. જો કે  તેમણે સામે શરત રાખી હતી કે આ માટે પહેલા તો ઈઝરાયેલની સેનાએ હવાઈ હુમલા બંધ કરવા પડશે. તેમણે વધુમાં તેમ પણ કહ્યું હતું કે હમાસને આ યુધ્ધ આગળ વધારવામાં કોઈ મુશ્કેલી નથી, તેમની પાસે ઈઝરાયેલનો સામનો કરવાની સંપુર્ણ ક્ષમતા છે. બીજી તરફ ઈરાને ઈઝરાયેલને ચેતવણી આપી હતી કે આગામી દિવસોમાં તેમના દ્વારા ગાઝામાં સતત હિંસક તબાહી ચાલું રહી તો ઈરાન પણ હમાસના સમર્થનમાં આ યુધ્ધમાં કુદી પડશે.



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?