Israel Hamas યુદ્ધ વચ્ચે ગાઝાની હોસ્પિટલમાં થઈ એરસ્ટ્રાઈક, 500થી વધારે લોકોના મોત થયા હોવાનું અનુમાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-18 14:10:54

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અંદાજીત 5 હજાર જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ બધા વચ્ચે ગાઝાની હોસ્પિટલમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં અનેકો લોકોના મોત થયા છે. વિસ્ફોટ બાદ અલગ અલગ જગ્યાઓ પર પ્રદર્શન શરૂ થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ફિલિસ્તાની નાગરિકોએ વિરોધ કર્યો હતો જે દરમિયાન તેમના અને સુરક્ષા બળો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આ હવાઈ હુમલો મધ્ય ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર કર્યો છે. તેને ગાઝા પટ્ટીની છેલ્લી ક્રિશ્ચિયન હોસ્પિટલ કહેવાય છે. 

Gaza hospital blast likely killed hundreds caught in Israel-Hamas conflict

 ઈઝરાયલ રક્ષા દળોએ મંગળવારે રાતે કહ્યું કે, ગાઝા પટ્ટીની એક હોસ્પિટલમાં વિસ્ફોટ પાછળ તેમનો હાથ નથી. ગાઝા આતંકવાદીઓ દ્વારા લોન્ચ કરવામાં આવેલી એક મિસફાયર રોકેટના કારણે અલમાં વિસ્ફોટ થયો છે.


હોસ્પિટલમાં હુમલો થવાને કારણે થયા 500 લોકોના મોત! 

છેલ્લા 12 દિવસથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમાચારો આવી રહ્યા છે. યુદ્ધને કારણે અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે હવાઈ હુમલો હોસ્પિટલ પર કરવામાં આવ્યો છે જ્યાં ઈજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા હતા. આ હુમલાને કારણે 500 જેટલા લોકોના મોત થયા છે. ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, મંગળવારે ઈઝરાયલી સેનાએ અલ અહલી અરબી બાપટિસ્ટ હોસ્પિટલ પર એર સ્ટ્રાઈટક કરી હતી. ઈઝરાયેલે આ આરોપોને નકારી કાઢ્યો છે. 

Gaza hospital strike kills hundreds in blast; Hamas and Israel trade blame  as Biden heads to Mideast - ABC7 Chicago

શું કહ્યું ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ?

ઈઝરાયેલ દેશના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે આખી દુનિયા જાણે છે કે આ હુમલો બર્બર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેઓ આપણા બાળકોને મારી નાખે છે, તેઓ પોતાના બાળકોને પણ મારી નાખે છે. બીજી તરફ પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદે કહ્યું છે કે ઈઝરાયેલ ખોટા આરોપો લગાવીને પોતાની જવાબદારીથી બચવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈસ્લામિક જીહાદ પર આ બ્લાસ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીએમે આને લઈ ટ્વિટ કર્યું છે.

હોસ્પિટલમાં થયેલા હુમલા પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે. 

 ઈઝરાયલી સેનાના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હાગેરીએ કહ્યું કે, હોસ્પિટલમાં થયેલા મોત વિશે તેમને કોઈ જાણકારી નથી. તેના વિશે જાણકારી મળશે તો અપડેટ કરવામાં આવશે.

Surveillance video appears to show failed rocket launch causing Gaza  hospital blast | The Times of Israel



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!