ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટે આપી મોટી રાહત! તોશાખાના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે લગાવ્યો સ્ટે! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-12 12:15:47

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઈસ્લામાબાદ કોર્ટે મોટી રાહત આપી છે. તોશાખાના કેસમાં કોર્ટે ઈમરાન ખાનને રાહત આપી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂકી દીધો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે મામલાની તપાસ માટે ક્રિમિનલ ટ્રાયલની પરવાનગી માગી હતી. તેના વિરૂદ્ધ ઈમરાન ખાને હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે આગામી ઓર્ડર સુધી આ કેસમાં સેશન કોર્ટ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. તોશાખાના કેસમાં ઈમરાન ખાન પર સરકારી ભેટને વેચવાનો આરોપ લાગ્યો હતો. 


હાઈકોર્ટે નિર્ણય પર મૂક્યો સ્ટે!

તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ કોર્ટે રાહત આપી છે. સુનાવણીને ધ્યાનમાં રાખી કોર્ટની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. પાકિસ્તાનના ચૂંટણી પંચે મામલાની તપાસ માટે ક્રિમિનલ ટ્રાયલની પરવાનગી માગી હતી. તેના વિરૂદ્ધ ઈમરાન ખાને હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે આગામી ઓર્ડર સુધી આ કેસમાં સેશન કોર્ટ કોઈ કાર્યવાહી નહીં કરે. 


ઈમરાન ખાન વિરૂદ્ધ નહીં કરવામાં આવે કાર્યવાહી! 

તોશાખાના વિશે જો વાત કરીએ તો પાકિસ્તાનમાં તોશાખાના એક સરકારી વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના પ્રમુખો, વિદેશી મહેમાનો દ્વારા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સાંસદો, નૌકરશાહો અને અધિકારીઓને આપવામાં આવેલી ભેટને રાખવામાં આવે છે. ત્યારે ઈમરાન ખાન પર આ ભેટો વેચવાનો આરોપ છે. ઓછા ભાવમાં તેમણે આ ભેટોને વેચી દીધી હતી. ત્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટે આ કેસમાં મોટી રાહત આપી છે. ઈમરાન ખાન વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પર રોક લગાવી દીધી છે.   


ઈમરાન ખાનની જેલમુક્તિ બાદ દેશભરમાં કરાઈ ઉજવણી!   

સુનાવણી બાદ ઈમરાન ખાન ઈસ્લામાબાદમાં શ્રીનગર હાઈવે પરથી જનતાને સંબોધિત કરશે. ઈમરાન ખાનની જેલમુક્તિ બાદ પાકિસ્તાનમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનને મોટી રાહત આપી છે.     



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.