ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય પટેલને કોર્ટે આપ્યો મોટો ઝટકો, જામીન અરજી નામંજૂર


  • Published By :
  • Published Date : 2023-08-24 22:06:48

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. તથ્ય પટેલની જામીન અરજીને લઈને કોર્ટે ઝટકો આપ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે. જેથી હવે તથ્ય પટેલને જેલમાં જ રહેવું પડશે. આરોપી તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી. મૃતકોના પરિવારજનોના વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો.


તથ્ય પટેલે કરી આ માગ

 

ઇસ્કોન બ્રિજ અકસ્માત સર્જી 10 લોકોનો ભોગ લેનારા નબીરા તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામેની ટ્રાયલ શરૂ થઈ હતી. આરોપીઓ સામે સેશન્સ કેસ નોંધાયો હતો. સેશન્સ કેસ નંબર 115/ 2023થી કેસ નોંધાયો હતો. તથ્ય પટેલને વિડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જેલમાં ઘરનું જમવાનું નહીં મળતું હોવાનું તથ્ય પટેલે ફરી એકવાર ફરિયાદ કરી હતી. વકીલને મળવા નહીં દેવાતા હોવાની પણ ફરિયાદ કરી હતી. તો બીજી તરફ સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, જે વકીલનું વકીલ પત્ર રજૂ કર્યું હતું કે વકીલને મળવા દેવામાં આવે છે.


સરકારી વકીલે જામીનનો વિરોધ કર્યો

 

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પુરપાટ ઝડપે કાર હંકારીને 10 લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની જામીન અરજીનો રાજ્ય સરકારે વિરોધ કર્યો હતો. સરકારે કહ્યું ચાર્જશીટ થયું છે પરંતુ હજુ તપાસ ચાલુ છે, રસ્તો ખુલ્લો હોવા છતાં તથ્ય પટેલે બેફામ ગાડી હંકારી, સ્પીડ અંગેનો FSL રિપોર્ટ ચાર્જશીટ સાથે જ રજૂ કરાયો છે. આરોપી ગુનાહિત માનસ ધરાવે છે, મૃતકો 25 વર્ષથી ઓછી ઉંમરના હતા, અગાઉના અકસ્માત બાબતે પોલીસને કોઈ વર્ધી મળી નહોતી. ઝાયડસની એક વર્ધીમાં જતી પોલીસને અકસ્માત દેખાયો એટલે તે ત્યાં ગયા હતા, પોલીસે યોગ્ય તપાસ કરીને જ ચાર્જશીટ કર્યું છે, બચાવ પક્ષે રજૂ કરાયેલા ચુકાદાઓ આ કેસના હકીકત અને વિગતોને લાગુ પડતા નથી. આરોપીના જામીન ના મંજૂર કરવા જોઈએ.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.