ઈસ્કોન અકસ્માત : તથ્ય પટેલ વિરૂદ્ધ પોલીસ કોર્ટમાં કરશે ચાર્જશીટ દાખલ,આટલા પાનાની છે ચાર્જશીટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-27 13:08:23

તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલા કારનામાઓ, ઈસ્કોન બ્રિજમાં 10 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા... એ આખી ઘટના બધાને ખબર હશે, આખો ઘટનાક્રમ લગભગ દરેકને યાદ રહી ગયો હશે. આ ઘટનામાં મૃત્યુ પામનાર પરિવારજનોની એક જ માંગણી હતી કે બને એટલો જલ્દી તેમને ન્યાય મળે, જલ્દીથી જલ્દી તથ્ય પટેલને સજા થાય. ત્યારે આ કેસમાં મળતી માહિતી અનુસાર પોલીસ આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી શકે છે જે 1700 પેજની છે.  


ઘટનાને પગલે અનેક લોકોના લેવાયા નિવેદન 

ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસ આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી શકે છે. તથ્ય પટેલ સામે દાખલ કરવામાં આવેલો કેસ વધુ મજબૂલ બને તે માટે પોલીસે ઘણી મહેનત કરી છે. એક બાદ એક તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલા અકસ્માત સામે આવી રહ્યા છે. અનેક પુરાવાઓ ભેગા કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં પોલીસ દ્વારા આરોપી તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 50થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. સાથે જ તથ્ય સાથે કારમાં સવાર અન્ય 5 મિત્રોના પણ નિવેદન લેવામાં આવ્યા છે જેનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરાયો છે.  ચાર્જશીટમાં FSL, DNA, જેગુઆર કંપની સહિતના રિપોર્ટનો ઉલ્લેખ કરાયો છે. અગાઉ કરેલા 2 અકસ્માતોની તમામ વિગોતોનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે.


આ કલમો અંતર્ગત થશે સજા!

ચાર્જશીટને લઈ જે માહિતી મળી રહી છે તે મુજબ પોલીસે અકસ્માત કેસમાં કલમ 308 પણ દાખલ કરી છે. કલમ 308 મુજબ જો કોઈ પણ વ્યક્તિ ઈરાદાથી કોઈના મૃત્યુનું કારણ બને તે હત્યા ગણી શકાય તેવા દોષી માનવ હત્યા માટે દોષિત ઠરશે. તેને ત્રણ વર્ષ સુધીની મુદત માટે કોઈપણ કેદ અથવા દંડ અથવા બંને સાથે સજા કરવામાં આવશે.જો આવા કૃત્યથી કોઈ વ્યક્તિને નુકસાન થાય છે, તો ગુનેગારને સાત વર્ષ સુધીની મુદ્દત માટે કોઈપણ કેદ અથવા દંડ અથવા બંને સાથે શિક્ષા કરવામાં આવશે.આ 1700 પાનાની ચાર્જશીટ પોલીસ આજે કોર્ટમાં ફાઈલ કરશે. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે. ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 1 અઠવાડિયામાં ચાર્જશીટ થશે તેવું કહ્યું હતું. અને એટલી ઝડપથી કામ થઈ રહ્યું છે.

 

અલગ અલગ રિપોર્ટથી પોલીસે જાણી ગાડીની સ્પીડ 

ઇસ્કોનબ્રિજ પર સર્જાયેલા અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી, તે જાણવા માટે પોલીસે અલગ-અલગ એજન્સીઓની મદદ લીધી છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે જેગુઆર કંપનીએ UKથી લાઈટિંગ ઈફેક્ટ અંગે રિપોર્ટ મોકલ્યો છે. રોડ પર પૂરતી લાઈટ ન હોવાનું તથ્ય પટેલે બહાનું કાઢ્યું હતું. આરોપી તથ્ય પટેલે પોલીસને આપેલા નિવેદનમાં ખોટું બોલ્યો હતો. જેગુઆર કંપનીએ રિપોર્ટમાં 300 મીટર સુધી લાઈટ હોવાનો ખુલાસો કર્યો હતો. તેમજ જગુઆર કંપનીએ ગાડીમાં કોઈ ખામી નહીં હોવાનો પણ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે.  FSLના રિપોર્ટમાં અકસ્માત સમયે કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે.અને જેગુઆર કંપનીના રિપોર્ટમાં સામે આવ્યું કે કારની સ્પીડ 137 હતી એટલે કાર ફૂલ સ્પીડમાં હતી એ ફાઇનલ છે.


જે ઝડપથી કાર્યવાહી થઈ તેવી જ ઝડપથી સજા પણ થાય!

હવે આશા છે કે આ કેસમાં આટલી જલ્દીથી કાર્યવાહી થઈ રહી છે એટલી સ્પીડથી તથ્યને સજા પણ મળે. આ કેસમાં વિસ્મય શાહ જેવુ ના થવું જોઈએ. અકસ્માત સર્જનારાને એવી કડક સજા થવી જોઈએ કે આવું કૃત્ય કરતા પહેલા લોકો અને તેમાં પણ ખાસ કરી નબીરાઓ પાઠ શીખે. જે ડ્રાઈવ મહિના માટે ચાલવાની છે તેવી ડ્રાઈવ, કડકાઈથી નિયમોનું પાલન થાય સહિતની વસ્તુઓ પર જો ગંભીરતાથી કામ કરવામાં આવે તો અનેક અકસ્માતો થતાં રોકાઈ શકે છે. નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા બચી શકે છે.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!