ISISના આતંકી હુમલાનો પર્દાફાશ, અમદાવાદ-ગાંધીનગરમાં બોંબ બ્લાસ્ટનું કાવતરૂ રચી રહ્યા હતા આતંકવાદીઓ


  • Published By :
  • Published Date : 2023-11-23 15:49:48

ગુજરાતના બે શહેરો અમદાવાદ અને ગાંધીનગર પર આતંકવાદી હુમલાનો પર્દાફાશ થયો છે. કુખ્યાત આતંકી સંગઠન ISIS ભારતના ત્રણ શહેરો પર મોટો આતંકી હુમલો કરવાનું કાવત્રુ ઘડી રહ્યું હોવાનું સામે આવ્યું છે.  આતંકી સંગઠન ISIS અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત મુંબઈમાં નરીમાન હાઉસ અને ગેટવે ઓફ ઈન્ડિયા પર મોટા આતંકી હુમલા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ મામલે પોલીસે ધરપકડ કરેલા ISIS આતંકવાદીની પૂછપરછ દરમિયાન જાણવા મળી છે. આ શંકાસ્પદ આતંકીએ કબુલ કર્યું છે કે  ભારતના અન્ય કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય મથકો પણ ISISના નિશાના પર હતા, અને તે માટે રેકી પણ કરવામાં આવી હતી. તેના જણાવ્યા પ્રમાણે  ISIS માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ પણ કામ કરે છે. તેમની શંકાસ્પદ ભૂમિકાને લઈ હાલ સુરક્ષા એજન્સીઓ તેમના પર ચાંપતી નજર રાખી રહી છે.


કોણ છે ISISનો પકડાયેલો આતંકવાદી? 


પોલીસે ઝડપેલા આતંકીનું નામ શાહનવાઝ આલમ છે, અને તે ISIS ઓપરેટિવ તરીકે કામ કરતો હતો. 31 વર્ષના શાહનવાઝ આલમે  NIT નાગપુરમાંથી B ટેક કર્યું છે અને હજારી બાગમાં રહીને ફ્રીલાન્સ તરીકે કામ કરે છે. વર્ષ 2016થી જામિયામાં રહેતા શાહનવાઝે જણાવ્યું કે, તે મુસ્લિમ સંગઠન હિઝબુલ તાહિર સાથે જોડાયો હતો અને અહીં તે જેહાદી વિચાર ધરાવતા ઘણા યુવાનોને મળ્યો હતો. શાહનવાઝના કહેવા પ્રમાણે, તેની પત્ની હિંદુ હતી તેને ઈસ્લામ કબૂલ કરીને મુસ્લિમ બનાવી હતી. બંનેની મુલાકાત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં થઈ હતી અને તેની પત્ની પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ હતી. શાહનવાઝે જણાવ્યું કે, પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેણે હજારીબાગમાં લગભગ 7-8 ગુનાઓને અંજામ આપ્યો અને તે પછી તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો.શાહનવાઝનો ગુરુ અનવર અવલાકી હતો. તે અલ કાયદાનો ટોપ મોસ્ટ આતંકવાદી હતો જે અમેરિકી સેનાના હુમલામાં માર્યો ગયો હતો. અનવર અવલાકીથી પ્રભાવિત થઈને શાહનવાઝને આતંકવાદી બનવાનું ઝનૂન થઈ ગયું હતું. પછી તે ઓનલાઈન સાઈટ પર કટ્ટરપંથી મુસ્લિમો અને આઈએસઆઈએસ હેન્ડલર્સના જૂથોમાં જોડાયો.


હિઝબુલ તાહિર યુવાનોને ભડકાવી રહ્યું છે! 


શાહનવાઝના જણાવ્યા પ્રમાણે આતંકી સંગઠન હિઝબુલ તાહિર દેશમાં મુસ્લિમ યુવાનોનું બ્રેઈન વોશિંગ કરી રહ્યું છે. તેના કહ્યુા અનુસાર ફરાર ISIS આતંકવાદી રિઝવાન અલી દરિયાગંજમાં રહેતો હતો અને તે હિઝબુલ તાહિરની મીટિંગમાં તેને મળ્યો હતો. આટલું જ નહીં, AMUના ઘણા વિદ્યાર્થીઓએ હિઝબુલ તાહિરની સભાઓમાં પણ ઘણી વખત ભાગ લીધો હતો. શાહનવાઝ તેના સાથીઓ સાથે સીરિયા જવા માંગતો હતો જ્યાં તે ISISના ટોચના નેતા પાસેથી ટ્રેનિંગ લેવા માંગતો હતો. હવાલા દ્વારા પુણેના તમામ આતંકવાદીઓને સમયાંતરે પૈસા મોકલવામાં આવતા હતા જેનો ઉપયોગ તેઓ બોમ્બ બનાવવા અને ટ્રેનિંગ કેમ્પમાં કરતા હતા. પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેણે હજારીબાગમાં લગભગ 7-8 ગુનાઓને અંજામ આપ્યો અને તે પછી તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો હતો.શાહનવાઝનો ગુરુ અનવર અવલાકી હતો. તે અલ કાયદાનો ટોપ મોસ્ટ આતંકવાદી હતો જે અમેરિકી સેનાના હુમલામાં માર્યો ગયો હતો. અનવર અવલાકીથી પ્રભાવિત થઈને શાહનવાઝને આતંકવાદી બનવાનું ઝનૂન થઈ ગયું હતું. પછી તે ઓનલાઈન સાઈટ પર કટ્ટરપંથી મુસ્લિમો અને ISIS હેન્ડલર્સના જૂથોમાં જોડાયો હતો. 

મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા


ISIS હેન્ડલર્સ શાહનવાઝની પૂછપરછ ચાલી રહી છે, અને તેના કારણે હજુ પણ મોટા ખુલાશા થવાની શક્યતા છે. શાહનવાઝની કબુલાત બાદ સુરક્ષા એજન્સીએ એલર્ટ થઈ ગઈ છે. દેશના વિવિધ ભાગોમાં રેડ પાડીને ISISના સ્વિપર સેલને શોધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!