મને અને ગોપાલને મારી નાખશે આ લોકો : ઇસુદાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 16:00:29

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયા બાદ ભાજપ અને આપ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. બંને પક્ષ એકબીજા આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવી રહ્યા છે. આ હુમલા અંગે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે ભાજપ પર મનોજ સોરઠિયાની હત્યાનો પ્લાન કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. અમારા પ્રદેશ ગોપાલ ઇટાલિયા અને મારા સહિતના નેતાઓની પણ હત્યા કરાવવાનો પ્લાન હોઈ શકે છે.


ભાજપ લુખ્ખા-લફંગાની પાર્ટી


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે મરાઠી પાટીલને ખબર પડવી જોઈએ કે ગુજરાતીઓ પર અશાંતિ ન ફેલાવવી જોઈએ. સોરઠિયાની હત્યાનું કાવતરુ સી.આર.પાટીલે જ કર્યું છે. ભાજપને અત્યારે આમ આદમી પાર્ટીથી ડર લાગ્યો છે. સી.આર.પાટીલે મનીષ સોરઠિયા પર જીવલેણ હુમલો કરવા માટે જ ગેંગ મોકલી હોવાની મને શંકા છે. ભાજપ લુખ્ખા, લફંગા અને ગુંડાઓની પાર્ટી છે. અત્યાર સુધીમાં ભાજપના ગુંડાઓએ 8 નેતા પર હુમલા કર્યા છે. 


અમારી હત્યાનું કાવતરુ-ઈસુદાન 


આપના નેતા ઈસુદાન ગઢવીએ તેમના અને ગોપાલ ઈટાલિયાના જીવને જોખમ હોવાની પણ આશંકા વ્યક્ત કરી હતી. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું  મને અને ગોપાલ ઈટાલિયાને જાનથી મારી નાખવાનું કાવતરુ ઘડાઈ રહ્યું છે. અંગત સૂત્રોએ પણ જણાવ્યું કે અમારા જીવને પણ જોખમ છે. ભાજપનો બે-ચાર હત્યા કરાવવાનો પ્લાન છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.