મને અને ગોપાલને મારી નાખશે આ લોકો : ઇસુદાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 16:00:29

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયા બાદ ભાજપ અને આપ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. બંને પક્ષ એકબીજા આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવી રહ્યા છે. આ હુમલા અંગે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે ભાજપ પર મનોજ સોરઠિયાની હત્યાનો પ્લાન કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. અમારા પ્રદેશ ગોપાલ ઇટાલિયા અને મારા સહિતના નેતાઓની પણ હત્યા કરાવવાનો પ્લાન હોઈ શકે છે.


ભાજપ લુખ્ખા-લફંગાની પાર્ટી


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે મરાઠી પાટીલને ખબર પડવી જોઈએ કે ગુજરાતીઓ પર અશાંતિ ન ફેલાવવી જોઈએ. સોરઠિયાની હત્યાનું કાવતરુ સી.આર.પાટીલે જ કર્યું છે. ભાજપને અત્યારે આમ આદમી પાર્ટીથી ડર લાગ્યો છે. સી.આર.પાટીલે મનીષ સોરઠિયા પર જીવલેણ હુમલો કરવા માટે જ ગેંગ મોકલી હોવાની મને શંકા છે. ભાજપ લુખ્ખા, લફંગા અને ગુંડાઓની પાર્ટી છે. અત્યાર સુધીમાં ભાજપના ગુંડાઓએ 8 નેતા પર હુમલા કર્યા છે. 


અમારી હત્યાનું કાવતરુ-ઈસુદાન 


આપના નેતા ઈસુદાન ગઢવીએ તેમના અને ગોપાલ ઈટાલિયાના જીવને જોખમ હોવાની પણ આશંકા વ્યક્ત કરી હતી. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું  મને અને ગોપાલ ઈટાલિયાને જાનથી મારી નાખવાનું કાવતરુ ઘડાઈ રહ્યું છે. અંગત સૂત્રોએ પણ જણાવ્યું કે અમારા જીવને પણ જોખમ છે. ભાજપનો બે-ચાર હત્યા કરાવવાનો પ્લાન છે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.