ઈશા અંબાણી અને આનંદ પિરામલનું કરાયું ભવ્ય સ્વાગત, આવતી કાલે થશે પૂજા


  • Published By :
  • Published Date : 2022-12-24 18:09:37

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ 19 નવેમ્બરે બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જન્મ થયાના એક મહિના બાદ ઈશા અંબાણી ભારત પરત ફરી છે. ઈશા અંબાણીના સ્વાગત માટે તૈયારી કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર દેશભરના પ્રખ્યાત મંદિરોથી પંડિતો આવી ઈશા અંબાણીના જોડિયાઓને આશીર્વાદ આપવાના છે.

 


વિવિધ મંદિરોના પૂજારી આપશે આશીર્વાદ 

અંબાણી પરિવાર ભારતીય પરંપરા તેમજ સંસ્કૃતિને જાણવી રાખવા માટે જાણીતા છે. દરેક કાર્યક્રમ સંસ્કૃતિને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ત્યારે ઈશા અંબાણીના જોડિયાના જન્મ બાદ પ્રથમ વખત ભારત પરત ફર્યા છે. ઈશાના સ્વાગત વખતે ઈશાના ઘરમાં મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને નાના મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવતી કાલે બાળકોને આશીર્વાદ આપવા દેશભરના પ્રસિદ્ધ મંદિરોથી પૂજારી આવવાના છે. તિરૂપતિ બાલાજી, શ્રીનાથજી મંદિરના પૂજારી આવવાના છે. ઉપરાંત તેમના આવવાની ખુશીમાં 300 કિલો સોનાનું દાન પણ કરવામાં આવશે.  


2018માં થયા હતા ઈશા અને આનંદના લગ્ન 

આ કાર્યક્રમમાં નીતા અંબાણીના ચહેરા પર અલગ ખુશી દેખાતી હતી. મુકેશ અંબાણી, આકાશ અંબાણી ઉપરાંત અનંત અંબાણી પણ ઉપસ્થિત હતા. ઈશા અંબાણી અને અજય પિરામલના લગ્ન 2018માં થયા હતા. આ બંનેના લગ્નને દેશના મોંઘા લગ્નોમાંથી એક માનવામાં આવે છે. 




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.