ઈશા અંબાણી અને આનંદ પિરામલનું કરાયું ભવ્ય સ્વાગત, આવતી કાલે થશે પૂજા


  • Published By :
  • Published Date : 2022-12-24 18:09:37

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ 19 નવેમ્બરે બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જન્મ થયાના એક મહિના બાદ ઈશા અંબાણી ભારત પરત ફરી છે. ઈશા અંબાણીના સ્વાગત માટે તૈયારી કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર દેશભરના પ્રખ્યાત મંદિરોથી પંડિતો આવી ઈશા અંબાણીના જોડિયાઓને આશીર્વાદ આપવાના છે.

 


વિવિધ મંદિરોના પૂજારી આપશે આશીર્વાદ 

અંબાણી પરિવાર ભારતીય પરંપરા તેમજ સંસ્કૃતિને જાણવી રાખવા માટે જાણીતા છે. દરેક કાર્યક્રમ સંસ્કૃતિને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ત્યારે ઈશા અંબાણીના જોડિયાના જન્મ બાદ પ્રથમ વખત ભારત પરત ફર્યા છે. ઈશાના સ્વાગત વખતે ઈશાના ઘરમાં મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને નાના મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવતી કાલે બાળકોને આશીર્વાદ આપવા દેશભરના પ્રસિદ્ધ મંદિરોથી પૂજારી આવવાના છે. તિરૂપતિ બાલાજી, શ્રીનાથજી મંદિરના પૂજારી આવવાના છે. ઉપરાંત તેમના આવવાની ખુશીમાં 300 કિલો સોનાનું દાન પણ કરવામાં આવશે.  


2018માં થયા હતા ઈશા અને આનંદના લગ્ન 

આ કાર્યક્રમમાં નીતા અંબાણીના ચહેરા પર અલગ ખુશી દેખાતી હતી. મુકેશ અંબાણી, આકાશ અંબાણી ઉપરાંત અનંત અંબાણી પણ ઉપસ્થિત હતા. ઈશા અંબાણી અને અજય પિરામલના લગ્ન 2018માં થયા હતા. આ બંનેના લગ્નને દેશના મોંઘા લગ્નોમાંથી એક માનવામાં આવે છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.