ગુજરાતનો આ તો કેવો વિકાસ!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 17:45:23

એક તરફ ગુજરાત સરકાર વિકાસ મોડલ બતાવી વોટ માગી રહી છે. તો બીજી તરફ અનેક રસ્તાઓની હાલત બિસ્માર થઈ રહી છે. વાંસદા તાલુકામાં આવેલા નેશનલ હાઈવે નંબર 56 પર રસ્તો બેસી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. વરસાદને કારણે મોટા પ્રમાણમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. નેશનલ હાઈવેની આવી દુર્દશા થતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કામગીરી પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. ભ્રષ્ટાચારીઓને કારણે રસ્તાઓની આવી હાલત થઈ છે તેવું સ્થાનિકોનું કહેવું છે.

નેશનલ હાઈવેની થઈ આવી ર્દશા

સામાન્ય વરસાદ પડતા જ રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે. ગામડાના રસ્તાઓની હાલત અતિ-બિસ્માર થઈ ગતી હોય છે. પરંતુ હાઈવેના રસ્તાઓની હાલત પણ આવી જ છે. નેશનલ હાઈવે નંબર 56 નો રસ્તો અચાનક બેસી જતા બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાઈવેની કામગીરી હલકી ગુણવત્તા વાળા સામાન દ્વારા કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.    


ભ્રષ્ટાચારીઓને કારણે લોકો થઈ રહ્યા છે પરેશાન

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કામગીરી ઉપર પણ સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી નથી કરવામાં આવી. રોડની કામગીરી દરમિયાન અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અન્ય કોઈ વાહનોને નુકસાન ન થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.


અનેક વખત સ્થાનિકોએ કર્યો છે વિરોધ

વાપી-શામળાજી હાઇવે ઉપર હંમેશા ખાડાને લઈને વિવાદ સર્જાતા રહ્યા છે. ખરાબ રોડ રસ્તાને કારણે લોકો આંદોલન કરવા માટે વિચારણા કરી રહ્યા છે. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ અનેક આંદોલનો કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોઈ પણ ઉકેલ ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે. હાઇવે ઓથોરિટીની ગોર બેદરકારીને કારણે રસ્તાઓ પર ખાડાનું સામરાજ્ય છવાઈ ગયું છે. રસ્તાઓ પર ભ્રષ્ટ્રાચારરૂપી ખાડા પડવાનું ક્યારે બંધ થશે એ મોટો પ્રશ્ન બની ગયો છે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.