હિંદ મહાસાગરમાં કેમિકલ ટેન્કર પર થયેલા ડ્રોન હુમલામાં ઈરાનનો હાથ...અમેરિકાના આરોપથી હડકંપ


  • Published By :
  • Published Date : 2023-12-24 10:08:09

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની સ્થિતી હવે ભારત સુધી પહોંચવા લાગી છે. પેન્ટાગોને જણાવ્યું હતું કે શનિવારે ભારતના દરિયાકાંઠે જાપાની માલિકીના જહાજને "ઈરાનથી છોડવામાં આવેલા ડ્રોન" દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી લાલ સમુદ્રમાં હુથીઓ દ્વારા જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે આ હુમલો લાલ સમુદ્રની બહાર વ્યાપારી શિપિંગ માટે એક નવા ખતરાનો સંકેત આપે છે. આ હુમલો ત્યારે થયો છે જ્યારે ઈરાન સમર્થિત હુથી બળવાખોરો ડ્રોન અને મિસાઈલ વડે લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે.


હુથી બળવાખોરોએ કર્યો હુમલો 


7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ શરૂ થયેલા યુદ્ધના વિરોધમાં હુથી બળવાખોરો જહાજો પર હુમલો કરી રહ્યા છે. હુથી બળવાખોરોનું કહેવું છે કે તેઓ ઈઝરાયેલના જહાજોને નિશાન બનાવશે. શનિવારનો હુમલો સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યે થયો હતો. આ દરમિયાન જહાજમાં આગ લાગી હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ બુઝાવી દેવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે જહાજ ભારતમાં એક ગંતવ્ય તરફ આગળ વધી રહ્યું છે.

ક્યાં હુમલો થયો હતો?


પેન્ટાગોન અનુસાર, ડ્રોન હુમલો ગુજરાતના દરિયાકાંઠાથી 200 નોટિકલ માઇલ (370 કિમી) દૂર થયો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમેરિકાની નેવીનું કોઈ જહાજ નજીકમાં નથી. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ પેન્ટાગોને ઈરાન પર હુમલાનો સીધો આરોપ લગાવ્યો હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. પેન્ટાગોનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એમવી કેમ પ્લુટો નામનું જહાજ લાઇબેરિયાના ધ્વજ હેઠળ સફર કરી રહ્યું હતું. તે એક ડચ એન્ટિટી દ્વારા સંચાલિત કરવામાં આવતું હતું. જોકે આ જહાજ જાપાનની કંપનીની માલિકીનું છે.


ભારતીય જહાજો મદદ માટે પહોંચ્યા


પેન્ટાગોન અનુસાર, 2021 પછી ઈરાન દ્વારા કોમર્શિયલ જહાજ પર આ સાતમો હુમલો છે. હુમલા દરમિયાન ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ મદદ માટે પહોંચ્યા હતા. નૌકાદળના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 'એક વિમાન મોકલવામાં આવ્યું હતું જે જહાજની ઉપર પહોંચ્યું હતું અને તેની અને ક્રૂનું રક્ષણ કર્યું હતું.ભારતીય નૌકાદળનું એક યુદ્ધ જહાજ પણ મોકલવામાં આવ્યું હતું જે જરૂરિયાત મુજબ મદદ કરી શકે છે. અમેરિકાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ગયા મહિને, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે હિંદ મહાસાગરમાં એક કાર્ગો જહાજ પર હુમલો કર્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.