Iranએ પુરાવા આપ્યા... Pakistan સ્થિત Jaish al-Adl આતંકી કેમ્પના ડ્રોન ફુટેજ કર્યા રિલિઝ


  • Published By :
  • Published Date : 2024-01-19 19:40:47

Iranએ પાકિસ્તાનના  બલૂચિસ્તાનમાં જે જગ્યા પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો તેનો વીડિયો લોન્ચ કર્યો છે. આ વીડિયો એક ડ્રોન ફુટેજ છે, જેમાં આતંકવાદીઓનો અડ્ડો અને શસ્રબધ્ધ આતંકીઓ જોવા મળી રહ્યા છે. આ વિસ્તાર પહાડો વચ્ચે આવેલી સાંકળી ખીણમાં આવેલું છે. આ વીડિયોમાં આતંકવાદીઓ ઘાતક હથિયારો સાથે ટ્રેનિંગ લેતા જણાય છે. 


વીડિયો વાયરલ થયો


પાકિસ્તાનના  બલૂચિસ્તાનમાં આતંકવાદીઓ એટલી સાંકડી ખીણમાં રહી રહ્યા છે, જ્યાં સરળતાથી કોઈની પણ નજરે આવી શકતા નથી. આ તમામ અડ્ડાઓ Jaish al-Adl આતંકવાદીઓના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ડ્રોન ફુટેજ રિલિઝ કરતા જ વીડિયો વાયરલ થઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે ઈરાનના સર્વિલાન્સ ડ્રોનને પણ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પકડી શકી નહોંતી. ઈરાનના ડ્રોન બલુચિસ્તાનમાં ઘુસ્યા હતા અને જાસુસી કરી હતી. ડ્રોને આ જગ્યાઓના ચોક્કસ લોકેશનના સહારે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલો અને આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો. આ અગાઉ ઈરાને સિરિયામાં પણ ઈસ્લામિક સ્ટેટના અડ્ડાઓ અને ઈરાકમાં ઈઝરાયેલની જાસુસી સંસ્થા મોસાદના સ્થાનો પર હુમલો કર્યો હતો.   


બે બાળકોના મોત થયા હતા


ઈરાને 16 જાન્યુઆરી, 2024 ના રોજ, બલૂચિસ્તાનમાં આવેલા Jaish al-Adlના આતંકવાદી સ્થાનો પર હુમલો કર્યો. આ વિસ્તારમાં રહેતા સુન્ની જૂથોને બંને બાજુ રહેતા બલૂચ લોકો સાથે સંઘર્ષ થયા કરે છે, બંને એકબીજા સાથે લડતા રહે છે. પાકિસ્તાને કહ્યું કે ઈરાનના હુમલામાં બે બાળકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?