અયોધ્યા બાબરી મસ્જિદ કેસના પૂર્વ પક્ષકાર ઈકબાલ અન્સારીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા કહી આ મોટી વાત


  • Published By :
  • Published Date : 2024-01-21 19:06:49

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સોમવારે યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી થાય તે માટે અયોધ્યાને નવવધૂની જેમ સજાવવામાં આવી રહી છે. દેશ અને વિદેશની જાણીતી હસ્તીઓ અયોધ્યા પહોંચી રહી છે. આ દરમિયાન બાબર મસ્જીદના પૂર્વ પક્ષકાર રહેલા ઈકબાલ અન્સારીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે અયોધ્યામાં તમામનું સ્વાગત કરતા કહ્યું કે અયોધ્યા ધર્મની નગરી છે અને અહીં તમામ લોકોનું સ્વાગત છે. તેમણે કહ્યું કે બધા જ લોકો ભગવાનના દર્શન કરે અને પ્રભુ શ્રી રામે બતાવેલા માર્ગ પર ચાલે....

 

'આપણી વચ્ચે સદ્ભાવના હોવી જોઈએ'


મીડિયા સાથે વાત કરતા ઈકબાલ અંસારીએ કહ્યું, “અયોધ્યા ધર્મની નગરી છે. આવતીકાલે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. જે લોકો અયોધ્યા આવ્યા છે તેઓનું સ્વાગત છે. અમે ઈચ્છીએ છીએ કે લોકો ભગવાન રામની પૂજા કરે અને તેમના બતાવેલા માર્ગ પર ચાલે. દરેક ધર્મ માનવતાનું પ્રતિક છે. દરેક ધર્મ શીખવે છે કે એકબીજામાં દુશ્મનાવટ ન હોવી જોઈએ. આપણી વચ્ચે સદ્ભાવના હોવી જોઈએ.”



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.