શક્તિપીઠ અંબાજીના IPS Safin Hasanએ કર્યા દર્શન, અંબાજી ધામ માટે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-16 18:11:10

સફીન હસન એક એવા આઈપીએસ ઓફિસર જે અનેક યુવાનાના ઈન્સપીરેશન છે. સોશિયલ મીડિયા પર તેમના અનેક વીડિયો વાયરલ થયા છે જેમાં તે યુવાનોને પ્રોત્સાહિત કરતા હોય છે. ગીતાની વાતો કરતા હોય તેવા વીડિયો છે. આઈપીએસ હસનની સાદગી અનેક વખત દેખાતી હોય છે. ત્યારે ફરી એક વખત સફીન હસનની સાદગી જોવા મળી છે. શક્તિપીઠ અંબાજીમાં તેમણે પરિવાર સાથે સામાન્ય માણસની જેમ દર્શન કર્યા હતા.

     


પરિવાર સાથે અંબાજી માતાના કર્યા દર્શન  

શક્તિપીઠ અંબાજીના  જે શક્તિ, ભક્તિ અને આસ્થાનું પ્રતીક છે. મા સમક્ષ શીશ ઝુકાવવા માટે ઘણા બધા નેતાઓ અભિનેતાઓ અને vip આવતા હોય છે અને એટલે એની ચર્ચા પણ થતી હોય છે પણ આજે અંબાજીની ચર્ચા એટલે થઈ રહી છે કારણ કે સૌથી નાની ઉંમરના આઈપીએસ સફિન હસન આજે અંબા માના દર્શન કરવા શક્તિપીઠ અંબાજી પહોંચ્યા હતા.



ભાવનગર ખાતે થયું હતું તેમનું પ્રથમ પોસ્ટિંગ 

અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન સામાન્ય ભક્તની જેમ કર્યા. એ ખૂબ મોટી વાત છે કારણ કે અમુક વાર તમે કોઈ હોદ્દા પર હોવ તો તમે વીવીઆઈપી કે વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોય છે પણ સફિન હસને સામાન્ય માણસની જેમ ત્યાં દર્શન કર્યા. મંદિરના પૂજારીએ તેમને તિલક કર્યું તેમને માથું નીચે કરી અને તિલક પણ કર્યું પ્રસાદ ગ્રહણ કર્યો અને જ્યારે દર્શન પૂરા થયા ત્યારે એમને જે વાત કહી એ ખૂબ સુંદર હતી. તેમણે કહ્યું કે હું ત્રણ વર્ષ પહેલા જ્યારે મારું ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું ત્યારે અંબા માના દર્શન કરીને ગયો હતો અને પછી ત્રણ વર્ષ બાદ આજે માતાજીના દર્શન કરવા આવ્યો છું. આ દર્શન મને નવી ઉર્જા આપશે દેશનો વિકાસ થાય તેવી પ્રાર્થના અમે માતાજીને કરી છે. 

સોશિયલ મીડિયા પર તેમના અનેક વીડિયો થયા છે વાયરલ

સફીન હસને નામ તો પોતાના મોટીવેશનલ વીડિયોઝ અને સૌથી નાના આઇપીએસ હોવાને કારણે ચર્ચામાં રહેતા હોય છે. તે મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની છે અને દેશના સૌથી નાની ઉંમરના આઇપીએસ અધિકારી છે. એટલે લોકોને ઘણી બધી વાર ઘણા બધા સુંદર સંદેશ આપતા હોય છે સફીન હસન એ સાબિત કરે છે કે જો તમારા મનમાં ભગવાન, માતાજી પ્રતી આસ્થા હોય તો પછી કોઈપણ રેખાઓ તમને નડતી નથી. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.