રાજ્યના 70 IPS અધિકારીઓની સાગમટે બદલી, જી. એસ. મલિક બન્યા અમદાવાદના નવા કમિશનર


  • Published By :
  • Published Date : 2023-07-27 22:16:03

રાજ્યમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી તે IPS અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાઈ ગયો છે. રાજ્યના 70 IPS અધિકારીઓની સાગમટે બદલી કરાઈ છે. IPS અધિકારીઓની બદલી મુદ્દે ગૃહ વિભાગમાં થઈ ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અને એક વરિષ્ઠ અધિકારી સીએમ ઓફીસ પહોંચ્યા હતા. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા બાદ પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ કમિશનરનો ચાર્જ છે. ત્યારે હવે અમદાવાદ શહેરને નવા કમિશનર મળ્યા છે. જ્ઞાનેન્દ્ર સિંહ મલિકને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. પ્રેમ વીર સિંહને અમદાવાદ રેન્જ આઈજી બનાવામાં આવ્યા છે. જ્યારે અભય ચુડાસામાને કરાઈ પોલીસ એકેડમીની જવાબદારી સોંપવામાં આવી છે.


આ અધિકારીઓની કરાઈ બદલી


-જી.એસ મલિક અમદાવાદના નવા પોલીસ કમિશનર

- શમસેરસિંહ લો એન્ડ ઓર્ડરના DGP

- અનુપમસિંહ ગહેલોત વડોદરાના નવા CP

- પ્રેમવીરસિંહ અમદાવાદના નવા રેન્જ IG

- આર.બી બ્રહ્મભટ્ટ CIDના નવા ADG

- બ્રજેશકુમાર ઝા અમદાવાદ સેક્ટર-2ના નવા JCP

- બલરામ મીણા પશ્ચિમ રેલવેના નવા SP

- રાજદીપસિંહ ઝાલા દાહોદના પોલીસ કમિશનર

- વી.ચંદ્રશેખર સુરતના નવા રેન્જ IG

- એમ.એ ચાવડા GSRTCના નવા એક્સિ.ડિરેક્ટર

- અભય ચુડાસામાને કરાઈ પોલીસ એકેડમીની જવાબદારી

-રાજકુમાર પાંડિયન રેલવે અને સીઆઈડી ક્રાઈમના એડિશન ડિજી

-નિરઝા ગોટરુરાવને ADGP ટ્રેનિંગ

-કરણરાજ વાઘેલાને વલસાડના એસપી 

-ડો.રવિન્દ્ર પટેલને પાટણના એસપી 

-એમ.એ.ચાવડાને એસટીના એક્ઝ્યક્યુટીવ ડાયરેક્ટર વિજિલંસ  

-કરણરાજ વાઘેલાને વલસાડના એસપી  

 -વસમશેટ્ટી રવિ તેજાને ગાંધીનગરના એસપી  

-હર્ષદ પટેલને ભાવનગર એસપી 

-રાજદીપસિંહ ઝાલા દાહોદ એસપી

-ડો.રવિન્દ્ર પટેલને પાટણના એસપી 

-સાગર વાઘમારેને કચ્છ પૂર્વના એસપી 

-સુશીલ અગ્રવાલની નવસારીના ડીએસપી 

-નિરજ બડગુર્જરની અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એડિશનલ સીપી 

 -જયદેવસિંહ જાડેજાની મહીસાગર એસપી 

-વિજય પટેલની સાબરકાંઠા એસપી 

-ભગીરથસિંહ જાડેજાની પોરબંદર એસપી 

-ડોક્ટર હર્ષદ પટેલની ભાવનગર એસપી 

-હરેશ દુધાતની ગાંધીનગર આઈબીમાં 

-રાજેંદ્ર પરમારની સુરત શહેર ઝોન-6માં ડીસીપી 

-એન.એ.મુનિયાની સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં 

-ઈમ્તિયાઝ શેખની છોટાઉદેપુરના એસપી 

-બન્નો જોશીની અમદાવાદ શહેર હેડ ક્વાર્ટરમાં બદલી 

-તેજલ પટેલની વડોદરા હેડ ક્વાર્ટરમાં બદલી 

-ચિરાગ કોરડિયાની અમદાવાદ સેક્ટર-1માં બદલી 

-વી.ચંદ્રશેખરની અમદાવાદ રેન્જ આઈજી  

-નિલેશ જાંઝળીયાને જુનાગઢ રેન્જ આઈજી  



                                                                                                                                                                 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!