ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની કરાઈ પસંદગી


  • Published By :
  • Published Date : 2023-02-06 15:56:29

થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. જેને લઈ સરકારની અનેક ટીકાઓ થઈ હતી. પરીક્ષા રદ થવાને કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આક્રોશ વધતા સરકારે 100 દિવસમાં ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી દીધી હતી. ત્યારે સરકારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ તરીકે આઈપીએસ હસમુખ પટેલની વરણી કરવામાં આવી છે. જેને લઈ જૂનીયર ક્લાર્ક-તલાટીની પરીક્ષા હસમુખ પટેલની આગેવાનીમાં લેવાશે. ઈન્ચાર્જ અધ્યક્ષ સંદિપ કુમાર પાસેથી ચાર્જ પાછો લેવાયો છે. મળતી માહિતી અનુસાર આ પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાઈ શકે છે. તે ઉપરાંત તલાટીની પરીક્ષા પણ એપ્રિલ મહિનામાં યોજાઈ શકે છે તેવી સંભાવના છે. 


પ્રામાણિક છબી ધરાવતા હસમુખ પટેલને સોંપાઈ જવાબદારી 

ગુજરાત સરકારે આઈપીએસ હસમુખ પટેલને મોટી જવાબદારી સોંપી છે. હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી સોંપવામાં આવી છે.  તેમને ઈન્ચાર્જ અધ્યક્ષ બનાવાયા છે. હસમુખ પટેલ 1993ની બેચના આઈપીએસ અધિકારી છે તે ઉપરાંત હસમુખ પટેલ પ્રામાણિક છબી ધરાવે છે. 


તેમની દેખરેખ હેઠળ યોજાશે જૂનિયર ક્લાર્કનું પેપર 

તેમજ તેમની પાસે અનુભવ પણ છે. તેમણે લોકરક્ષક ભરતીનું પારદર્શક રીતે આયોજન કર્યું હતું. તે ઉપરાંત ઉમેદવારોને થતી નાની મોટી સમસ્યાઓને શેર કરતા રહે છે. વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં રહે છે તે ઉપરાંત પરીક્ષાનું આયોજન કરવામાં તેમની માસ્ટરી છે. હાલ તેઓ પોલીસ આવાસ નિગમના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.  આગામી દિવસોમાં યોજાનારી જૂનિયર ક્લાર્કની પરીક્ષા તેમની દેખરેખ હેઠળ યોજાવાની છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.