ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની કરાઈ પસંદગી


  • Published By :
  • Published Date : 2023-02-06 15:56:29

થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. જેને લઈ સરકારની અનેક ટીકાઓ થઈ હતી. પરીક્ષા રદ થવાને કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આક્રોશ વધતા સરકારે 100 દિવસમાં ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી દીધી હતી. ત્યારે સરકારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ તરીકે આઈપીએસ હસમુખ પટેલની વરણી કરવામાં આવી છે. જેને લઈ જૂનીયર ક્લાર્ક-તલાટીની પરીક્ષા હસમુખ પટેલની આગેવાનીમાં લેવાશે. ઈન્ચાર્જ અધ્યક્ષ સંદિપ કુમાર પાસેથી ચાર્જ પાછો લેવાયો છે. મળતી માહિતી અનુસાર આ પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાઈ શકે છે. તે ઉપરાંત તલાટીની પરીક્ષા પણ એપ્રિલ મહિનામાં યોજાઈ શકે છે તેવી સંભાવના છે. 


પ્રામાણિક છબી ધરાવતા હસમુખ પટેલને સોંપાઈ જવાબદારી 

ગુજરાત સરકારે આઈપીએસ હસમુખ પટેલને મોટી જવાબદારી સોંપી છે. હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી સોંપવામાં આવી છે.  તેમને ઈન્ચાર્જ અધ્યક્ષ બનાવાયા છે. હસમુખ પટેલ 1993ની બેચના આઈપીએસ અધિકારી છે તે ઉપરાંત હસમુખ પટેલ પ્રામાણિક છબી ધરાવે છે. 


તેમની દેખરેખ હેઠળ યોજાશે જૂનિયર ક્લાર્કનું પેપર 

તેમજ તેમની પાસે અનુભવ પણ છે. તેમણે લોકરક્ષક ભરતીનું પારદર્શક રીતે આયોજન કર્યું હતું. તે ઉપરાંત ઉમેદવારોને થતી નાની મોટી સમસ્યાઓને શેર કરતા રહે છે. વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં રહે છે તે ઉપરાંત પરીક્ષાનું આયોજન કરવામાં તેમની માસ્ટરી છે. હાલ તેઓ પોલીસ આવાસ નિગમના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.  આગામી દિવસોમાં યોજાનારી જૂનિયર ક્લાર્કની પરીક્ષા તેમની દેખરેખ હેઠળ યોજાવાની છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!