ન્યું એજ ટેકનોલોજી કંપનીઓના શેરોના IPOમાં રૂ.1476 અબજની મૂડીનું ધોવાણ


  • Published By :
  • Published Date : 2022-11-18 19:17:01


ભારતીય શેરબજારો છેલ્લા 16 મહિનામાં નવી વિક્રમી ઊંચાઈએ બંધ આવ્યા છે. જો કે વાસ્તવમાં રોકાણકારોને ઘણી કંપનીઓના શેરોમાં પોતાની મોટી મૂડી ગુમાવવાનો પણ કડવો અનુભવ થયો છે. આ પૈકી ખાસ પાંચ સૌથી ખ્યાતનામ થયેલી ન્યું એજ ટેકનોલોજી કંપનીઓના શેરોના આઈપીઓ-ઈનિશિયલ પબ્લિક ઓફરીંગમાં રોકાણકારોની મહામૂલી રૂ.1476 અબજની(18 અબજ ડોલરની ) મૂડીનું ધોવાણ થઈ ગયું છે. 


નામ બડે દર્શન છોટે


ટેકનોલોજી કંપનીઓના વેલ્યુએશન બાબતે અનેક સવાલ ઊઠયા સાથે આ કંપનીઓને વૈશ્વિક વ્યાજ દરોમાં વધારાના કારણે ડહોળાયેલા સેન્ટીમેન્ટનો પણ માર પડયો છે. પેમેન્ટ કંપની પેટીએમ-વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડના આઈપીઓમાં શેરો મેળવનાર રોકાણકારોને આ પાંચ કંપનીઓમાં સૌથી મોટું નુકશાન થયું છે. જ્યારે અન્ય કંપનીઓમાં ડિલિવરી સ્ટાર્ટઅપ ઝોમાટો, બ્યુટી ઈ-રીટેલર નાયકા, લોજિસ્ટિક કંપની ડેલહિવરી તેમ જ ઓનલાઈન ઈન્સ્યોરન્સ કંપની પોલીસીબઝારમાં પણ રોકાણકારોને મોટો માર પડયો છે.


સંસ્થાકીય રોકાણકારોને પણ ભારે ખોટ


આ કંપનીઓમાં રીટેલ રોકાણકારોએ હાથ દઝાડયા બાદ હવે IPO પૂર્વે આ કંપનીઓના શેરોમાં મોટું રોકાણ કરનારા સંસ્થાકીય રોકાણકારો પણ લોક-ઈન સમયગાળો પૂરો થતાંની સાથે ખોટ તો ખોટમાં પોતાનું હોલ્ડિંગ વેચીને રહી સહી મૂડી ઘરભેગી કરવા લાગ્યા છે.



કોરિયન ઇલેક્ટ્રોનિક્સ કંપની LG ને તેના IPO માટે બજાર નિયમનકાર SEBI તરફથી મંજૂરી મળી ગઈ છે. ભારતીય બજારમાં લિસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવે છે કે LGનો IPO દેશનો પાંચમો સૌથી મોટો ઇશ્યૂ હશે. આ જાહેર ઇશ્યૂ હેઠળ, પ્રમોટર કોરિયન કંપની લગભગ 10.18 કરોડ શેર વેચાણ માટે ઓફર કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન રશિયા-યુક્રેન યુદ્ધને લઇને ૩૦ દિવસનો સીઝફાયર કરવા માટે સેહમત થયા . આ યુદ્ધ બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ભયંકર છે . લાખો લોકોએ પોતાના સ્વજનો અને મકાનો ગુમાવી દીધા છે . હવે જોઈએ કે , ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધ અટકાવવામાં કેટલા સફળ થાય છે.

IPL 2025નો આગામી 22મી માર્ચથી શરૂ થશે. BCCI વિશ્વની મુખ્ય ફ્રેન્ચાઇઝી ટૂર્નામેન્ટના 18 વર્ષ થતા, તમામ 13 સ્થળો પર વિશેષ સમારંભનું આયોજન કરશે. દરેક સ્ટેડિયમમાં પ્રથમ મેચની શરૂઆતમાં રંગારંગ કાર્યક્રમોમાં વિવિધ કલાકાર પરફોર્મ કરશે.

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર બેઉ અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા છે . જોકે આ અવકાશયાત્રા દરમ્યાન સુનિતા વિલિયમ્સની સિદ્ધિઓ ખુબ જ વિશેષ છે. તેમણે જે પ્રયોગો કર્યા છે અને સ્પેસવોક કર્યું છે તે ખુબ જ મહત્વનું છે . સુનિતા વિલિયમ્સની આ બધી જ સિદ્ધિઓ બીજા મહિલા અવકાશયાત્રી કરતા ખુબ વિશેષ છે .