IPL 2023 : હવે ટોસ પછી પણ બદલી શકાશે પ્લેઈંગ-11, નવા ઈમ્પેક્ટ પ્લેયર્સનો પણ થશે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-03-23 19:21:15

આખા દેશમાં ટૂંક સમયમાં ક્રિકેટનો ફિવર ચઢવાનો છે, કેમ કે ક્રિકેટરસીયાઓ કાગ ડોળે હાલ આઈપીએલ 2023ની રાહ જોઈને બેઠા છે, તે આઈપીએલ આગામી 31 માર્ચથી શરુ થવા જઈ રહી છે, જેમાં 10 ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. છેલ્લાં વર્ષે જ્યાં આઈપીએલનો અંત થયો હતો એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તે સ્ટેડિયમથી જ આ વર્ષની આઈપીએલની શરુઆત થવાની છે. આઈપીએલ 2023ની પહેલી મેચ ગત વર્ષની વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. પણ આ આઈપીએલની સીઝનમાં અમુક નવા નિયમો લાવવામાં આવ્યાં છે. 

ટોસ પછી પણ બદલી શકાશે પ્લેઈંગ-11

IPLનો જ નહીં, મોટાભાગની ટૂર્નામેન્ટમાં એવો નિયમ છે કે મેચનો ટોસ  થઈ જાય પછી કોઈ પણ કેપ્ટન તેની ટીમના પ્લેઈંગ 11 બદલી શકતો નથી, પણ આ વખતે આઈપીએલ 2023માં આ નિયમ બદલાવવામાં આવ્યો છે. જેમાં મેચનાં ટોસ વખતે કેપ્ટન 2 પ્લેઈંગ 11 લઈને આવી શકશે, જેમાં ટોસ પછી કેપ્ટન નક્કી કરશે કે તેને પ્લેઈંગ 11માં ક્યા ક્યા ખેલાડીઓને રાખવા છે. આનો સીધો ફાયદો એ છે કે ટોસ પછી બેટિંગનો નિર્ણય કરવામાં આવે છે કે બોલિંગનો, એ પ્રમાણે પ્લેઈંગ 11 નક્કી કરવામાં આવશે. 

ઈમ્પેક્ટ પ્લેયર્સ માટે પણ નવો નિયમ

IPLની આ સિઝનમાં નવા ઈમ્પેક્ટ પ્લેયરના રુલનો પણ સમાવેશ થયો છે, એટલે કે ટોસ થયા પછી કેપ્ટન તેના પ્લેઈંગ 11 સિવાય વધુ 4 સબસિટ્યુડ પ્લેયર એટલે કે ઈમ્પેક્ટ પ્લેયરને પોતાની ટીમમાં સમાવેશ કરી શકશે, જે કોઈ પણ પ્લેઈંગ 11 ખેલાડીથી રિપ્લેસ થઈ શકશે, આ ઈમ્પેક્ટ પ્લેયરનો 14 ઓવર સુધી ઉપયોગ કરી શકાશે. 

આ ઉપરાંત 2 નિયમોમાં પણ ફેરફાર

દરેક ટી20ની જેમ આઈપીએલની આ સિઝનમાં નવો નિયમ લાગુ થશે. એ નિયમ એ છે કે કોઈ પણ ટીમને એક ઈનિંગ પૂરી કરવા માટે 75 મિનિટ આપવામાં આવતી હતી, અને જો તેઓ 75 મિનિટથી વધારે સમય લેશે તો સમયમર્યાદા બાદ 5ની જગ્યાએ માત્ર 4 ખેલાડીઓને જ 30 યાર્ડ સર્કલની બહાર ઉભા રેહવું પડશે. 

આ સિવાય વધુ એક નિયમ એવો લાવવામાં આવ્યો છે કે જો બેટિંગ દરમ્યાન સામેની ટીમનો કોઈ ખેલાડી કોઈ એવી મૂવમેન્ટ કરે કે જેનાથી બેટર ડિસ્ટ્રેક થાય તો, ફિલ્ડિંગની ટીમ પર 5 રનની પેનેલ્ટી લગાવવામાં આવશે. 

હવે, આવા નવા નિયમો વચ્ચે આઈપીએલમાં ટીમોની વચ્ચે કેવી ટક્કર જોવા મળે છે, તે જોવાનું રહેશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે