એપલના CEO ટીમ કુકે ભારત પર લગાવેલો દાવ સફળ રહ્યો, કંપનીએ માત્ર એક જ મહિનામાં રેકોર્ડ 10 હજાર કરોડના આઈફોનની કરી નિકાસ


  • Published By :
  • Published Date : 2023-06-19 19:30:55

દુનિયાની અગ્રણી ટેક કંપની એપલે ભારતમાંથી આઈફોનના નિકાસમાં નવો રેકોર્ડ સર્જ્યો છે. એપલે માત્ર એક મહિનામાં જ 10,000 કરોડ રૂપિયાના આઈફોનની નિકાસ કરી છે. મે મહિનામાં કંપનીએ ભારતથી થયેલી સ્માર્ટ ફોનની કુલ નિકાસની વાત કરીએ તો રૂ. 12 હજાર કરોડનું રહ્યું છે.  આ રીતે ચાલુ નાણાકિય વર્ષમાં એપલે ભારતમાંથી 20 હજાર કરોડના આઈફોન (iPhone) નિકાસ કર્યા છે. 


iPhoneની નિકાસમાં 100 ટકાનો ગ્રોથ


એપલને ભારતમાં આઈફોનની નિકાસમાં દર વર્ષેના આધારે 100 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. રસપ્રદ બાબત એ છે કે ગત નાણાકિય વર્ષમાં ભારતથી આઈફોનની નિકાસ 5 અબજ ડોલરની રહી હતી. જે વર્ષ 2022ની તુલનામાં 5 ગણી વધેલી જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઈલેક્ટ્રોનિક ઉત્પાદનમાં વૃધ્ધી માટે આપવામાં આવતા પ્રોત્સાહનોના પગલે પણ કંપનીને ફાયદો થઈ રહ્યો છે. 


ભારતમાં આઈફોનના ઉત્પાદનનો નિર્ણય ફળ્યો


એપલના સીઈઓ ટીમ કુકે ચીનના બદલે ભારતમાં એપલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો હતો, તેમનો આ નિર્ણય કંપનીને ફળ્યો છે. ભારતમાં સ્માર્ટફોનની કુલ નિકાસમાં આઈફોનનો હિસ્સો 80 ટકા જેટલો છે, ત્યાર બાદ સેમસંગ અને અન્ય બ્રાંડનો નંબર આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ચીન અને અમેરિકા વચ્ચે સંબંધોમાં તંગદીલી સર્જાતા એપલે ભારત તરફ પ્રયાણ કર્યું હતું. એપલના આઈફોનનું કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરતી ત્રણ કંપનીઓ ભારતમાં આઈફોનનું ઉત્પાદન કરી રહી છે. વર્ષ 2020 પહેલા એપલના આઈફોનની સંપુર્ણ સપ્લાય ચેઈન ચીન પર આધારીત હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.